Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > આર્મીનો સ્ટ્રૉન્ગ મેસેજ : કઠુઆમાં પાંચ જવાનોની શહાદતનો બદલો લેવાશે

આર્મીનો સ્ટ્રૉન્ગ મેસેજ : કઠુઆમાં પાંચ જવાનોની શહાદતનો બદલો લેવાશે

Published : 10 July, 2024 12:10 PM | IST | Srinagar
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સંરક્ષણ મંત્રાલયના સેક્રેટરીએ ગઈ કાલે સોશ્યલ મીડિયા પરની એક પોસ્ટમાં જણાવ્યું હતું

શહીદ થયેલા આર્મીના જવાનો

શહીદ થયેલા આર્મીના જવાનો


જમ્મુ અને કાશ્મીરના કઠુઆમાં ૮ જુલાઈએ થયેલા આતંકવાદી હુમલામાં આર્મીના પાંચ જવાનો શહીદ થયા છે અને આ મુદ્દે સંરક્ષણ સેક્રેટરી ગિરિધર અરામાનેએ આતંકવાદીઓને સખત સંદેશમાં જણાવ્યું છે કે આ શહાદતનો બદલો લેવામાં આવશે. તેમણે એક શોક-સંદેશમાં શહીદ પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.


સંરક્ષણ મંત્રાલયના સેક્રેટરીએ ગઈ કાલે સોશ્યલ મીડિયા પરની એક પોસ્ટમાં જણાવ્યું હતું કે ‘હું કઠુઆના બદનોટામાં થયેલા આતંકવાદી હુમલામાં પાંચ બહાદુર જવાનોનાં મોતથી ઊંડું દુઃખ વ્યક્ત કરું છું અને શોકમાં ડૂબેલા પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરું છું. રાષ્ટ્ર પ્રત્યે તેમની નિઃસ્વાર્થ સેવાને હંમેશાં યાદ રાખવામાં આવશે અને તેમનાં બલિદાનનો બદલો લેવામાં આવશે. ભારત આ હુમલા પાછળની દુષ્ટ તાકાતોને હરાવશે.’


Whatsapp-channel Whatsapp-channel

10 July, 2024 12:10 PM IST | Srinagar | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK