પોલીસના જણાવ્યા અનુસાર 30 વર્ષીય સૌંદર્યા લટકતી હાલતમાં મળી આવી હતી.
પૂર્વ સીએમ બીએસ યેદિયુરપ્પા
કર્ણાટક (Karnataka)ના પૂર્વ સીએમ બીએસ યેદિયુરપ્પાની પૌત્રી (મોટી પુત્રીની પુત્રી) તેના બેંગલુરુ સ્થિત તેના ઘરે મૃત હાલતમાં મળી આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર- 30 વર્ષીય સૌંદર્યા લટકતી હાલતમાં મળી આવી હતી.
આ ઘટના મામલે પોલીસે અનનેચરલ ડેથનો કેસ નોંધી તપાસ શરૂ કરી છે. યેદિયુરપ્પાના કાર્યાલયે માહિતી આપી છે કે બોરિંગ અને લેડી કર્ઝન હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ ચાલુ છે. રિપોર્ટ આવ્યા બાદ ઘટનાની હકીકત જાણી શકાશે. સૌંદર્યા બીએસ યેદિયુરપ્પાની મોટી પુત્રી પદ્માવતીની પુત્રી છે.
પોલીસે આ મામલામાં એફઆઈઆર નોંધીને તપાસ શરૂ કરી છેબેંગલુરુના હાઈ ગ્રાઉન્ડ પોલીસ સ્ટેશને સૌંદર્યાના મૃત્યુની તપાસ શરૂ કરી છે.
તેના લગ્ન બે વર્ષ પહેલા જ થયા હતા.