Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > અમરનાથ યાત્રા 28 જૂનથી શરૂ

અમરનાથ યાત્રા 28 જૂનથી શરૂ

14 March, 2021 12:05 PM IST | Jammu

અમરનાથ યાત્રા 28 જૂનથી શરૂ

અમરનાથ યાત્રા

અમરનાથ યાત્રા


આ વર્ષની અમરનાથ યાત્રા ૨૮ જૂનથી શરૂ કરવાનો નિર્ણય શ્રી અમરનાથ શ્રાઇન-બોર્ડની ગઈ કાલે યોજાયેલી મીટિંગમાં લેવામાં આવ્યો હતો. કોરોના વાઇરસની મહામારીને કારણે ગયા વર્ષે અમરનાથની યાત્રા રદ કરવામાં આવી હતી. જોકે આ વર્ષે ૨૮ જૂનથી આ યાત્રા શરૂ કરવાનો નિર્ણય જમ્મુ-કાશ્મીરના ડેપ્યુટી ગવર્નર મનોજ સિંહાના પ્રમુખપદે યોજાયેલી મીટિંગમાં લેવાયો હતો. અમરનાથ યાત્રા ૨૮ જૂનથી શરૂ થઈને રક્ષાબંધન સુધી ચાલશે. યાત્રિકોની યાત્રા સુખરૂપ થાય એ માટે શ્રી અમરનાથ શ્રાઇન બોર્ડ દ્વારા વ્યાપક પ્રમાણમાં આયોજન કરવામાં આવે છે, જેમાં યાત્રાળુઓના ખાવા-પીવાથી માંડીને બસની વ્યવસ્થા પણ કરવામાં આવે છે. આ ઉપરાંત યાત્રાળુઓની સુરક્ષા માટે સુરક્ષા દળ પણ તહેનાત કરવામાં આવે છે. આ યાત્રાની અસર જમ્મુ-કાશ્મીરના વેપાર પર પણ પડતી હોવાથી તેઓ પણ આ યાત્રાની રાહ જોતા હોય છે.


Whatsapp-channel Whatsapp-channel

14 March, 2021 12:05 PM IST | Jammu

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK