Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > અરુણાચલમાં ભારતીય સેનાનું હેલિકોપ્ટર ક્રેશ, અકસ્માતમાં પાઇલટનું મોત

અરુણાચલમાં ભારતીય સેનાનું હેલિકોપ્ટર ક્રેશ, અકસ્માતમાં પાઇલટનું મોત

05 October, 2022 01:50 PM IST | Itanagar
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

અકસ્માતનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ભારતીય સેનાનું એક ચિતા હેલિકોપ્ટર (Cheetah Helicopter) આજે અરુણાચલ પ્રદેશ (Arunachal Pradesh)ના તવાંગ વિસ્તાર પાસે ક્રેશ થયું હતું. સેનાના અધિકારીઓ પાસેથી મળેલી માહિતી મુજબ આ દુર્ઘટનામાં એક પાઇલટનું મોત થયું છે. તે જ સમયે, બીજા પાઇલટની સારવાર ચાલી રહી છે.

આ ઘટના અંગે એક પ્રેસ રિલીઝ બહાર આવી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે તવાંગ નજીક ફોરવર્ડ એરિયામાં ઊડી રહેલું આર્મીનું ચિતા હેલિકોપ્ટર આજે સવારે લગભગ 10 વાગ્યે નિયમિત ઉડાન દરમિયાન ક્રેશ થયું હતું, જે બાદ બંને પાઇલટને નજીકની સૈન્ય હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં ગંભીર રીતે ઘાયલ થયેલા એક પાઇલટ લેફ્ટનન્ટ કર્નલ સૌરભ યાદવનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. તે જ સમયે, બીજા પાઇલટની સારવાર ચાલી રહી છે.



અખબારી યાદીમાં જણાવાયું છે કે અકસ્માતનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આ અંગે તપાસ કરવામાં આવશે અને ત્યારબાદ ક્રેશનું સાચું કારણ જાણી શકાશે.


Whatsapp-channel Whatsapp-channel

05 October, 2022 01:50 PM IST | Itanagar | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK