Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > Covid-19 Update: તૂટ્યા બધાં રેકૉર્ડ, એક દિવસમાં 2 લાખથી વધુ કેસ, 1038ના નિધન

Covid-19 Update: તૂટ્યા બધાં રેકૉર્ડ, એક દિવસમાં 2 લાખથી વધુ કેસ, 1038ના નિધન

15 April, 2021 02:56 PM IST | New Delhi
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોનાવાયરસના બધાં રેકૉર્ડ તૂટી ગયા છે અને પહેલી વાર 2 લાખથી વધુ કેસ સામે આવ્યા છે, જ્યારે એક વાર ફરી એક હજારથી વધુ લોકોના નિધન થયા છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ભારતમાં કોરોનાવાયરસની સ્થિતિ ખૂબ જ ખરાબ થતી જઈ રહી છે અને છેલ્લા 24 કલાકમાં દેશમાં કોવિડ-19ના બધાં રેકૉર્ડ તૂટી ગયા છે. સ્વાસ્થ્ય મંત્રાલય પ્રમાણે દેશમાં પહેલીવાર છેલ્લા 24 કલાકમાં 2 લાખથી વધારે કેસ સામે આવ્યા છે. આ પહેલા બુધવારે (14 એપ્રિલ)ના દેશમાં કોરોના વાયરસ સંક્રમિતોની સંખ્યા 1.85 લાખ નવા કેસ નોંધાયા હતા. 

24 કલાકમાં 200739 લોકો થયા સંક્રમિત
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં 1 લાખ 739 લોકો કોરોનાવાયરસથી સંક્રમિત થયા છે, જ્યારે આ દરમિયાન 1038 લોકોએ જીવ ગુમાવ્યા છે. ત્યાર બાદ ભારતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 1 કરોડ 40 લાખ 74 હજાર 564 થઈ ગઈ છે અને 1 લાખ 73 હજાર 123 લોકો પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે.



24 કલાકમાં વધ્યા 1.06 લાખ એક્ટિવ કેસ
કેન્દ્રીય સ્વાસ્થ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલયના આંકડાઓ પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં દેશમાંથી 93 હજાર 528 લોકો કોવિડ-19થી સ્વસ્થ થયા છે, જેના પછી સ્વસ્થ થયેલા લોકોની કુલ સંખ્યા 1 કરોડ 24 લાખ 29 હજાર 564 થઈ ગઈ છે. જો કે, છેલ્લા 24 કલાકમાં એક્ટિવ કેસમાં એક લાખ છ હજાર 173નો વધારો થયો છે અને હવે ભારતમાં કોરોના વાયરસના 14 લાખ 71 હજાર 877 એક્ટિવ કેસ છે.



10.46 ટકા પહોંચી ગઈ છે એક્ટિવ કેસની સંખ્યા
છેલ્લા 30 દિવસોમાં દેશમાં કોરોના વાયરસના એક્ટિવ કેસની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે અને કુલ કેસ 10.46 ટકા પહોંચી ગયા છે. આની સાથે જ કોવિડ-19થી રિકવરી રેટમાં પણ ઘટાડો થયો છે અને આ 88.31 ટકા પર પહોંચી ગઈ છે. કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 12 ફેબ્રુઆરીના 135926 પહોંચી ગઈ હતી, જે કુલ કેસના 1.23 ટકા હતા.

દેશમાં અત્યાર સુધી 11.44 કરોડ વેક્સીનના ડૉઝ અપાયા
સ્વાસ્થ્ય મંત્રાલય પ્રમાણે, કોરોના સંક્રમણને અટકાવવા માટે અત્યાર સુધી દેશમાં વેક્સીનના 11 કરોડ 44 લાખ 93 હજાર 238 ડૉઝ અપાઇ ગયા છે. ભારતીય ચિકિત્સા અનુસંધાન પરિષદ (ICMR) પ્રમાણે, અત્યાર સુધી (14 એપ્રિલ) દેશમાં 26 કરોડ 20 લાખ 3 હજાર 415 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી 13 લાખ 84 હજાર 549 ટેસ્ટ બુધવારે (14 એપ્રિલ) કરવામાં આવ્યા હતા.

મહારાષ્ટ્રમાં સ્થિતિ સૌથી વધારે ખરાબ
મહારાષ્ટ્રમાં બુધવારે કોરોના વાયરસ સંક્રમણ (Coronavirus in Maharashtra)ના 58952 નવા કેસ સામે આવ્યા અને 278 લોકોના નિધન થઈ ગયા. મહારાષ્ટ્ર સ્વાસ્થ્ય વિભાગે જણાવ્યું કે રાજ્યમાં અત્યાર સુધી સંક્રમિત થયેલા લોકોની કુલ સંખ્યા સંખ્યા વધીને 3578160 થઈ ગઈ, જ્યારે અત્યાર સુધી કુલ 58804 લોકોના મહામારીને કારણે નિધન થઈ ગયા છે. રાજ્યમાં કોરોના મૃત્યુ દર 1.64 ટકા છે. મહારાષ્ટ્રમાં સક્રિય કેસની સંખ્યા 612070 છે.

Whatsapp-channel Whatsapp-channel

15 April, 2021 02:56 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK