Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > કાશ્મીરમાં ત્રણ દિવસમાં ૧૦ આતંકવાદીઓને ઠાર મરાયા

કાશ્મીરમાં ત્રણ દિવસમાં ૧૦ આતંકવાદીઓને ઠાર મરાયા

28 May, 2022 12:27 PM IST | Srinagar
Agency

કાશ્મીર ઝોનના આઇજીપી વિજય કુમારે ટ્વીટ કર્યું હતું કે ‘ઠાર મરાયેલા બન્ને આતંકવાદીઓ સ્થાનિક નિવાસી હતા. તેમની શાહિદ મુશ્તાક ભટ અને ફરહાન હબીબ તરીકે ઓળખ કરવામાં આવી છે.’

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


જમ્મુ-કાશ્મીરના પુલવામા અને શ્રીનગર જિલ્લાઓમાં બે અલગ-અલગ અથડામણમાં લશ્કર-એ-તય્યબાના ચાર આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા હતા. જેમાં એક મહિલા ટીવી કલાકારની હત્યા કરનારા બે આતંકવાદીઓ પણ સામેલ છે. પોલીસના પ્રવક્તાએ ગઈ કાલે જણાવ્યું હતું કે પુલવામા જિલ્લાના અવંતિપોરા વિસ્તારમાં ગુરુવારે રાત્રે અથડામણ થઈ હતી. બુધવારે બડગામ જિલ્લામાં ટીવી કલાકાર અમરીન ભટ્ટની હત્યા કરનારા બે આતંકવાદીઓને ઘેરી લેવાયા હતા. કાશ્મીર ઝોનના આઇજીપી વિજય કુમારે ટ્વીટ કર્યું હતું કે ‘ઠાર મરાયેલા બન્ને આતંકવાદીઓ સ્થાનિક નિવાસી હતા. તેમની શાહિદ મુશ્તાક ભટ અને ફરહાન હબીબ તરીકે ઓળખ કરવામાં આવી છે. ’
બીજું એન્કાઉન્ટર શ્રીનગર શહેરના દક્ષિણ એરિયામાં થયું હતું. જેમાં લશ્કર-એ-તય્યબાના બે આતંકવાદીઓ ઠાર મરાયા હતા. કાશ્મીરમાં છેલ્લા ત્રણ દિવસમાં લશ્કર-એ-તય્યબાના સાત અને જૈશ-એ-મોહમ્મદના ત્રણ સહિત ૧૦ આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે.


Whatsapp-channel Whatsapp-channel

28 May, 2022 12:27 PM IST | Srinagar | Agency

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK