Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > બંગાળમાં બીજેપીની સરકાર રચાશે તો ગોરખા સમસ્યાનો ઉકેલ નક્કી : શાહ

બંગાળમાં બીજેપીની સરકાર રચાશે તો ગોરખા સમસ્યાનો ઉકેલ નક્કી : શાહ

14 April, 2021 10:49 AM IST | Darjeeling
Agency

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે પશ્ચિમ બંગાળમાં બીજેપીની સરકાર રચાશે તો પર્વતીય પ્રદેશમાં લાંબા સમયથી ચાલી રહેલી ‘ગોરખા સમસ્યા’નું રાજકીય નિવારણ લાવવાની ખાતરી આપી હતી.

દાર્જિલિંગમાં ગઈ કાલે ચૂંટણી-રૅલી દરમ્યાન અમિત શાહ.  પી.ટી.આઇ.

દાર્જિલિંગમાં ગઈ કાલે ચૂંટણી-રૅલી દરમ્યાન અમિત શાહ. પી.ટી.આઇ.


કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે પશ્ચિમ બંગાળમાં બીજેપીની સરકાર રચાશે તો પર્વતીય પ્રદેશમાં લાંબા સમયથી ચાલી રહેલી ‘ગોરખા સમસ્યા’નું રાજકીય નિવારણ લાવવાની ખાતરી આપી હતી.

જાહેર સભામાં શાહે જણાવ્યું હતું કે દેશનું બંધારણ ‘વ્યાપક’ છે અને એમાં તમામ સમસ્યાઓનું નિરાકરણ લાવવાની જોગવાઈ છે. હું વચન આપું છું કે બંગાળમાં બીજેપીની સરકાર રચાય, ત્યાર બાદ ગોરખા સમસ્યાનું કાયમી રાજકીય નિરાકરણ લવાશે. તમારે આંદોલનનો સહારો લેવો નહીં પડે, એમ તેમણે જણાવ્યું હતું. જોકે તેઓ કઈ સમસ્યા વિશે વાત કરી રહ્યા છે એની સ્પષ્ટતા કરી નહોતી. ગોરખા સમુદાય લાંબા સમયથી અલગ રાજ્યની માગણી કરી રહ્યો છે અને સમુદાય દ્વારા ઘણાં આંદોલન કરવામાં આવ્યાં છે.


Whatsapp-channel Whatsapp-channel

14 April, 2021 10:49 AM IST | Darjeeling | Agency

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK