ભારત બાયોટેકે ભારે બબાલ પછી કરી છે આવી સ્પષ્ટતા
પ્રતીકાત્મક તસવીર
વૅક્સિન પ્રાઇસિંગ ઍન્ડ પ્રૉક્યોરમેન્ટની સમજૂતી વેળા કોરોના વાઇરસ વૅક્સિનની પ્રતિકૂળ અસર સંદર્ભે કેન્દ્ર સરકાર પાસે કોઈ બાંયધરી ન માગી હોવાનું હૈદરાબાદની ભારત બાયોટેક કંપનીએ જણાવ્યું હતું. ભારતમાં નૅશનલ કોવિડ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામમાં વપરાતી બે વૅક્સિન્સમાં એક ભારત બાયોટેકની કોવૅક્સિન છે. ભારત બાયોટેક કંપનીના એક નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે ભારત સરકારના આદેશ અનુસાર અત્યાર સુધીમાં કોવૅક્સિનના કુલ ઉત્પાદનના ૧૦ ટકા કરતાં ઓછો માલ પ્રાઇવેટ હૉસ્પિટલોને અને બાકીનો માલ રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકારને આપવામાં આવ્યો છે.