Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > દેશમાં એક દિવસમાં કોરોનાથી સૌથી વધુ 4205 લોકોના મૃત્યુ

દેશમાં એક દિવસમાં કોરોનાથી સૌથી વધુ 4205 લોકોના મૃત્યુ

13 May, 2021 01:10 PM IST | New Delhi
Agency

ગઈ કાલે સવારે ૮ વાગ્યા સુધીના ૨૪ કલાક માટેના જાહેર કરાયેલા સત્તાવાર આંક મુજબ દેશમાં ૩,૪૮,૪૨૧ નવા કેસ સાથે અત્યાર સુધીમાં સૌથી વધુ ૪૨૦૫ મૃત્યુ નોંધાયાં હોવાનું જણાવાયું હતું.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ગઈ કાલે સવારે ૮ વાગ્યા સુધીના ૨૪ કલાક માટેના જાહેર કરાયેલા સત્તાવાર આંક મુજબ દેશમાં ૩,૪૮,૪૨૧ નવા કેસ સાથે અત્યાર સુધીમાં સૌથી વધુ ૪૨૦૫ મૃત્યુ નોંધાયાં હોવાનું કેન્દ્રના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલી આંકડાકીય વિગતોમાં જણાવાયું હતું. 

મે મહિનાની ૮ તારીખે દેશમાં ૨૪ કલાકમાં ૪૧૮૭ મૃત્યુ નોંધાયાં હતાં, જ્યારે ૭ મેએ વિક્રમી ૪,૧૪,૧૮૮ નવા કેસ નોંધાયા હતા. 



છેલ્લા ૨૦ દિવસથી દેશમાં દૈનિક કેસ ત્રણ લાખના આંકને પાર કરી ગયા હતા, જ્યારે એક પખવાડિયામાં મરણાંક ૩૦૦૦ને પાર પહોંચ્યો હતો. મહામારીની શરૂઆતથી અત્યાર  સુધીમાં ૨,૩૩,૪૦,૯૩૮ કોરોનાના કેસ નોંધાયા છે. એમાં ૩૭,૦૪,૦૯૯ ઍક્ટિવ કેસ હતા તથા ૨,૫૪,૧૯૭ મૃત્યુ નોંધાયાં હતાં. 


Whatsapp-channel Whatsapp-channel

13 May, 2021 01:10 PM IST | New Delhi | Agency

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK