Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં જુદાં-જુદાં એન્કાઉન્ટરમાં ચાર આતંકીઓ મરાયા

જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં જુદાં-જુદાં એન્કાઉન્ટરમાં ચાર આતંકીઓ મરાયા

06 October, 2022 10:19 AM IST | Jammu and Kashmir
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જમ્મુ-કાશ્મીરના શોપિયાં જિલ્લામાં ગઈ કાલે સુરક્ષાદળો સાથેની અથડામણની બે જુદી-જુદી ઘટનાઓમાં ચાર આતંકવાદીઓ મરાયા હતા. કાશ્મીરના એડીજીપી વિજય કુમારે ટ્વિટર પર આ જાણકારી આપી હતી.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


શ્રીનગર  (પી.ટી.આઇ.) : જમ્મુ-કાશ્મીરના શોપિયાં જિલ્લામાં ગઈ કાલે સુરક્ષાદળો સાથેની અથડામણની બે જુદી-જુદી ઘટનાઓમાં ચાર આતંકવાદીઓ મરાયા હતા. કાશ્મીરના એડીજીપી વિજય કુમારે ટ્વિટર પર આ જાણકારી આપી હતી. જૈશ-એ-મોહમ્મદના ત્રણ આતંકવાદી શોપિયાંના દ્રાચ વિસ્તારમાં અને લશ્કર-એ-તય્યબાનો એક આતંકવાદી ​દ​િક્ષણ કાશ્મીર જિલ્લાના મૂલુ વિસ્તારમાં મરાયો હતો. 
દ્રાચમાં હાથ ધરાયેલા ઑપરેશનમાં માર્યા ગયેલા ત્રણ આતંકવાદીઓની ઓળખ હનન બીન યાકુબ અને જમશેદ તરીકે કરાઈ હોવાનું જણાવી વિજય કુમારે કહ્યું હતું કે આ બન્ને આતંકીઓ બીજી ઑક્ટોબરે પુલવામાના પિંગલાના ખાતે સ્પેશ્યલ પોલીસઑફિસર (એસપીઓ) જાવેદ ડારની હત્યામાં અને 
૨૪ સપ્ટેમ્બરના રોજ પશ્ચિમ બંગાળના એક પ્રવાસી શ્રમિકની હત્યામાં સંડોવાયેલા હતા.


Whatsapp-channel Whatsapp-channel

06 October, 2022 10:19 AM IST | Jammu and Kashmir | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK