વડાપ્રધાન મોદી, રાષ્ટ્રપતિ કોવિંદ, કૉંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી સહિત તમામ નેતાઓએ દેશવાસીઓને ઈદ-એ-મિલાદ-ઉન-નબીની શુભેચ્છા પાઠવી છે.
ફાઇલ ફોટો
ઈદ-એ-મિલાદ-ઉન-નબીનો તહેવાર આજે ઊજવવામાં આવી રહ્યો છે. આ તહેવારને બારાવાફત પણ કહેવાય છે. એટલા માટે મુસ્લિમ સમાજના લોકો આ તહેવારને ખૂબ ધામધૂમથી ઊજવે છે. આ પ્રસંગે વડાપ્રધાન મોદી, રાષ્ટ્રપતિ કોવિંદ, કૉંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી સહિત તમામ નેતાઓએ દેશવાસીઓને ઈદ-એ-મિલાદ-ઉન-નબીની શુભેચ્છા પાઠવી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને લોકોને ઈદ-એ-મિલાદ-ઉન-નબીની શુભેચ્છા પાઠવતા લખ્યું કે “મિલાદ-ઉન-નબી પર અભિનંદન! ચારે બાજુ શાંતિ અને સમૃદ્ધિ રહે. દયા અને ભાઈચારાના ગુણો હંમેશા પ્રબળ રહે. હેપી ઈદ.”
ADVERTISEMENT
Milad-un-Nabi greetings. Let there be peace and prosperity all around. May the virtues of kindness and brotherhood always prevail. Eid Mubarak!
— Narendra Modi (@narendramodi) October 19, 2021
તે જ સમયે, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટ્વિટ કરીને લખ્યું કે “ઈદ-એ-મિલાદ-ઉન-નબી, પયગંબર મોહમ્મદના જન્મદિવસના શુભ પ્રસંગે, હું તમામ દેશવાસીઓને, ખાસ કરીને અમારા મુસ્લિમ ભાઈઓ અને બહેનોને શુભેચ્છા પાઠવું છું. ચાલો આપણે બધા પ્રોફેટ મોહમ્મદના જીવનમાંથી પ્રેરણા લઈએ અને સમાજની સમૃદ્ધિ માટે અને દેશમાં શાંતિ અને સુખ જાળવવા માટે કામ કરીએ.”
पैगम्बर मुहम्मद के जन्मदिन, ईद-ए-मिलाद-उन-नब़ी के पावन अवसर पर, मैं सभी देशवासियों, विशेष रूप से हमारे मुस्लिम भाइयों-बहनों को मुबारकबाद देता हूं। आइए, हम सब पैगम्बर मुहम्मद के जीवन से प्रेरणा लेकर, समाज की खुशहाली के लिए और देश में सुख शांति बनाए रखने हेतु कार्य करें।
— President of India (@rashtrapatibhvn) October 19, 2021
કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું “મિલાદ-ઉન-નબીના પ્રસંગે મારી શુભેચ્છાઓ. આપણે કરુણા, શાંતિ અને ભાઈચારાની ભાવનાથી માર્ગદર્શન મેળવીએ. ઈદ મુબારક!”
My best wishes on the occasion of Milad-un-Nabi. May we be guided by the spirit of compassion, peace & brotherhood.
— Rahul Gandhi (@RahulGandhi) October 19, 2021
ईद मुबारक!
આ સિવાય લોકસભાના સ્પીકર ઓમ બિરલા, મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ અને એનસીપી નેતા સુપ્રિયા સુળેએ પણ ઈદની શુભેચ્છા પાઠવી છે. ઓમ બિરલાએ કહ્યું લખ્યું “હેપી ઈદ-એ-મિલાદ-ઉન-નબી. આ દિવસે, આપણે સમાજમાં શાંતિ, સંવાદિતા, પરસ્પર પ્રેમની ભાવનાને મજબૂત કરતી વખતે દેશની પ્રગતિ અને દેશવાસીઓના કલ્યાણમાં સક્રિયપણે ભાગ લેવાના આપણા સંકલ્પનો પુનરોચ્ચાર કરીએ છીએ.
કમલનાથે કહ્યું લખ્યું કે “ઈદ-એ-મિલાદ-ઉન-નબીની હાર્દિક શુભેચ્છાઓ.”
એનસીપીના નેતા સુપ્રિયા સુલેએ કહ્યું, "આજે આપણે ઈદ-ઉલ-મિલાદનો તહેવાર ઊજવી રહ્યા છીએ જે પ્રેમનો સંદેશ આપે છે. આ પ્રસંગે સૌને શુભેચ્છાઓ.”