Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > કૉન્ગ્રેસના નેતા દિગ્વિજયે મોદીની સરખામણી રાવણ સાથે કરી દીધી

કૉન્ગ્રેસના નેતા દિગ્વિજયે મોદીની સરખામણી રાવણ સાથે કરી દીધી

30 November, 2012 06:23 AM IST |

કૉન્ગ્રેસના નેતા દિગ્વિજયે મોદીની સરખામણી રાવણ સાથે કરી દીધી

કૉન્ગ્રેસના નેતા દિગ્વિજયે મોદીની સરખામણી રાવણ સાથે કરી દીધી


ગઈ કાલે ભોપાલમાં દિગ્વિજય સિંહે કહ્યું હતું કે ‘થ્રી-ડી કૅમ્પેનમાં એવું છે કે એક વ્યક્તિ એક જ સ્થળેથી બોલે છે પણ તેનો અવાજ ૧૦ જુદી-જુદી જગ્યાએ પહોંચે છે. રામાયણમાં પણ એક એવું પાત્ર હતું, જેને દસ ચહેરા હતા.’

કૉન્ગ્રેસના બોલકા નેતા દિગ્વિજય સિંહે મોદી કે રાવણનું નામ લીધા વિના બન્નેની સરખામણી કરી દીધી હતી. થોડા સમય પહેલાં જ મોદીએ ગાંધીનગરમાંથી સ્પીચ આપી હતી, જે થ્રી-ડી ટેક્નૉલૉજી અને સૅટેલાઇટ લિંક દ્વારા ગુજરાતનાં ચાર શહેરોમાં એકસાથે પ્રસારિત કરવામાં આવી હતી. અગાઉ કૉન્ગ્રેસના નેતાઓ મોદીની સરખામણી વાનર અને ઉંદર સાથે પણ કરી ચૂક્યા છે. મોદીએ જોકે આ બન્ને પ્રાણીઓ ભગવાનના સૌથી નજીકના સાથી ગણાવીને પોતાની સરખામણી આ પ્રાણીઓ સાથે કરવા બદલ આભાર માનીને કૉન્ગ્રેસ પર કટાક્ષ કર્યો હતો. મોદી હવે દિગ્વિજય સિંહે આપેલી રાવણની ઉપમાનો શું જવાબ આપે છે એ જોવાનું રહ્યું છે.


Whatsapp-channel Whatsapp-channel

30 November, 2012 06:23 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK