Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > કુતુબમિનારનું નામ બદલીને વિષ્ણુ સ્તંભ રાખવાની માગણી

કુતુબમિનારનું નામ બદલીને વિષ્ણુ સ્તંભ રાખવાની માગણી

11 May, 2022 09:21 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

દેશભરમાં સાંપ્રદાયિક તનાવની ઘટનાઓ વચ્ચે દિલ્હીમાં ગઈ કાલે હિન્દુ સંગઠનો કુતુબ મિનાર ખાતે આવી પહોંચ્યાં હતાં.

તસવીર: PTI

તસવીર: PTI


નવી દિલ્હી ઃ દેશભરમાં સાંપ્રદાયિક તનાવની ઘટનાઓ વચ્ચે દિલ્હીમાં ગઈ કાલે હિન્દુ સંગઠનો કુતુબ મિનાર ખાતે આવી પહોંચ્યાં હતાં. તેમણે આ આઇકૉનિક સ્મારકને વિષ્ણુ સ્તંભ નામ આપવાની માગણી કરી હતી. 
કુતુબ મિનાર ખાતે ચુસ્ત સુરક્ષાવ્યવસ્થા વચ્ચે મહાકાલ માનવ સેના અને અન્ય હિન્દુ સંગઠનોએ સૂત્રોચ્ચાર કર્યો હતો. પ્રદર્શનકર્તાઓ અહીં હનુમાન ચાલીસા પણ બોલ્યા હતા. 
દરમ્યાનમાં દિલ્હી બીજેપીએ દિલ્હીમાં અકબર રોડ, હુમાયુ રોડ, ઔરંગઝેબ લેન અને તઘલક લેન જેવી જગ્યાઓનાં નામ બદલવાની માગણી કરી હતી, કેમ કે એ તમામ જગ્યાઓનાં નામ મુગલ શાસકોનાં નામ પરથી રાખવામાં આવ્યાં છે.  


Whatsapp-channel Whatsapp-channel

11 May, 2022 09:21 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK