કોરોનાને કારણે દિલ્હી સરકારે ધોરણ 9 અને 11 પરીક્ષાઓ રદ કરી છે. ધોરણ 9 અને 11ના વિદ્યાર્થીઓને 22 જૂનના રોજ પરિણામ મળશે.
કોન્સેપ્ટ ફોટો
કોરોનાના કહેરને કારણે દિલ્હી સરકારે ધોરણ 9 અને 11 વિદ્યાર્થીઓ માટે એક મહત્વનો નિર્ણય લીધો છે. કોવિડ-19ના સંક્રમણને લીધે શિક્ષણ પર થયેલી અસરને ધ્યાને રાખી દિલ્હી સરકારે ધોરણ 9 અને 11 ની પરીક્ષાઓ રદ કરી છે. આ અંગે દિલ્હીના નાયબ અને શિક્ષણ પ્રધાન મનીષ સિસોદિયાએ માહિતી આપી છે.
શિક્ષણ પ્રધાન મનીષ સિસોદિયાએ ટ્વિટ કરી જણાવ્યું કે ધોરણ 9 અને 11 ના વિદ્યાર્થીઓનું પરિણામ મિડ ટર્મ એક્ઝામમાં મેળવેલા અંકોના આધાર જાહેર કરવામાં આવશે. પરીક્ષા સાથે સંબંધિત સત્તાવાર નોટિસ જલદી દિલ્હી સરકાર દ્વારા જારી કરવામાં આવશે.
ADVERTISEMENT
વધુમાં તેમણે કહ્યું કે આ ધોરણના વિદ્યાર્થીઓના પરિણામ 22 જૂન,2021ના રોજ ઓનલાઈન એજ્યુકેશનલ વેબસાઈટના માધ્યમથી જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ વોટ્સએપના માધ્યમથી પણ પોતાનું પરિણામ મેળવી શકશે. નોંધનીય છે કે ધોરણ 9 અને 11ની પરીક્ષા જે 12 એપ્રિલે યોજાવાની હતી તેને કોરોનાની બીજી લહેરને ધ્યાને રાખી રદ કરી હતી.