બચાવ કાર્ય ચાલુ છે
પ્રતીકાત્મક તસવીર
દેશની રાજધાની દિલ્હીના સબ્જી મંડી વિસ્તારમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. સબ્જી મંડી વિસ્તારમાં આવેલી ચાર માળની બિલ્ડિંગ ધરાશયી થઈ ગઈ છે. ગીચ વિસ્તારમાં બિલ્ડિંગના ધરાશયી થવાના કારણે મોટા પ્રમાણમાં નુકસાન થાય તેવી સંભાવના છે. આ દુર્ઘટનામાં અનેક લોકો મૃત્યુ પામ્યા હોવાની આશંકા છે. પરંતુ હજુ સુધી કોઈ સ્પષ્ટ માહિતી મળી શકી નથી.
ઘટના સ્થળે દિલ્હી પોલીસ તાત્કાલિક પહોંચી જતાં બચાવ કામગીરી શરૂ કરી આવી છે. પોલીસની સાથે ફાયર વિભાગની ટીમ પણ બચાવ કાર્યમાં મદદ કરી રહી છે. બિલ્ડિંગના ધરાશયી થતા વાહનો પણ દબાયા હોવાની આશંકા છે.
ADVERTISEMENT
Delhi | A four-storey building collapsed in the Sabzi Mandi area. One person has been rescued and taken to the hospital. More details awaited.
— ANI (@ANI) September 13, 2021
(Visuals from the spot) pic.twitter.com/iQ3poHtYCN
આ સમાચાર લખાઈ રહ્યાં હતા ત્યાં સુધી મળેલી માહિતી પ્રમાણે કાટમાળ નીચેથી અત્યાર સુધી ત્રણ જણને બચાવી લેવામાં આવ્યા છે. જેમાં બે બાળકો છે.
#UPDATE | A total of 3 persons including 2 children have been rescued till now from under the debris after a four-storey building collapsed in Delhi`s Sabzi Mandi area: Fire Department, Delhi.
— ANI (@ANI) September 13, 2021
Rescue operation underway pic.twitter.com/BsSgtAq7k8
બિલ્ડિંગ ધરાશાયી થવાને કારણે મોટો ધડાકો થયો હોવા જેવો અવાજ સંભળાયો હતો. કાટમાળમાં ઘણા વાહનો પણ દબાયા હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું.
આ દુર્ઘટના બાદ દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે દુઃખ વ્યક્ત કર્યું હતું અને તેઓ આ મામલે સતત તંત્રના સંપર્કમાં હોવાની વાત કહી હતી.
सब्जी मंडी इलाके में इमारत गिरने का हादसा बेहद दुखद। प्रशासन राहत और बचाव कार्य में जुटा है, ज़िला प्रशासन के माध्यम से मैं खुद हालात पर नज़र बनाए हूं। https://t.co/WpTo6MBvxB
— Arvind Kejriwal (@ArvindKejriwal) September 13, 2021