Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > છેલ્લા 24 કલાકમાં કોરોનાના 14,989 કેસ નોંધાયા, એક્ટિવ કેસ વધ્યા

છેલ્લા 24 કલાકમાં કોરોનાના 14,989 કેસ નોંધાયા, એક્ટિવ કેસ વધ્યા

03 March, 2021 11:02 AM IST | New Delhi
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

છેલ્લા 24 કલાકમાં કોરોનાના 14,989 કેસ નોંધાયા, એક્ટિવ કેસ વધ્યા

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


દેશમાં કોરોના વાઈરસના સક્રિય કેસ એકવાર ફરીથી વધી રહ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થય મંત્રાલયના તાજેતરના આંકડા અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઈરસ સંક્રમણના 14,989 કેસ નોંધાયા છે. આ સમયગાળા દરમિયાન દેશમાં 98 લોકોના કોરોના સંક્રમણથી મોત નીપજ્યાં છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા અનુસાર, દેશભરમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના ચેપના કુલ 1 કરોડ 11 લાખ 39 હજાર 516 કેસ નોંધાયા છે. જો કે, તેમાંથી 1 કરોડ 8 લાખ 12 હજાર 44 લોકો સાજા થયા છે. દેશમાં કોરોનાના સક્રિય કેસની સંખ્યા વધીને 1 લાખ 70 હજાર 126 થઈ ગઈ છે. ભારતમાં કોરોનાથી અત્યાર સુધી કુલ 1 લાખ 57 હજાર 346 થયા છે.

કોરોના વાઈરસના સક્રિય કેસમાં વધારો



દેશમાં એકવાર ફરીથી કોરોનાના એક્ટિવ કેસ વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 1768 કેસ વધ્યા છે. એનાથી એક્ટિવ દર 1.53 ટકા થયો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 13,123 લોકો સાજા થયા છે. એનાથી રિકવરી દર વધીને 97.06 ટકા થઈ ગયો છે. ભારતનો કોરોના મૃત્યુ દર હાલમાં 1.41 ટકા છે.


ફક્ત પાંચ રાજ્યોમાં 80 ટકાથી વધારે નવા કેસ

સરકારે જણાવ્યું કે પાંચ રાજ્યોમાં જ 80.33 ટકા નવા કેસ નોંધાયા છે. એમાંથી સૌથી વધારે મહારાષ્ટ્રમાં 6397, કેરળમાં 1938 અને પંજાબમાં 633 નવા કેસ સામેલ છે. આ ત્રણ રાજ્યોની સાથે ચંદીગઢ, ગોવા અને ગુજરાતમાં સંક્રમણનો દર બે ટકા છે, જે રાષ્ટ્રીય સંક્રમણ દર કરતા વધારે છે.


દેશમાં અત્યાર સુધી 21.84 કરોડથી વધારે કોરોના ટેસ્ટ

દેશમાં કોરોના તપાસનો આંકડો ઝડપથી વધી રહી છે. દેશમાં અત્યાર સુધી 21.84 કરોડથી વધારે કોરોના તપાસ થઈ ચૂકી છે. ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (Indian Council of Medical Research, ICMR) તરફથી બહાર પાડવામાં આવેલા આંકડા અનુસાર દેશમાં 2 માર્ચ 2021 સુધી 21,84,03,277 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું છે, જેમાંથી 7,85,220 ટેસ્ટ એક દિવસમાં કરવામાં આવ્યા છે.

દેશમાં અત્યાર સુધી 1.56 કરોડથી વધારે રસીકરણ

દેશમાં કોરોના વાઈરસ વિરૂદ્ધ રસીકરણ ચાલુ છે. કેન્દ્રીય સ્વાસ્થય મંત્રાલાયના તાજેતરના આંકડા અનુસાર દેશમાં અત્યાર સુધી 1 કરોડ 56 લાખ 20 હજાર 749 લોકોને રસી આપવામાં આવી છે. તેમાંથી છેલ્લા એક દિવસમાં 7,68,730 રસીકરણ કરવામાં આવ્યું છે.

Whatsapp-channel Whatsapp-channel

03 March, 2021 11:02 AM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK