Coronavirus India News: છેલ્લા 24 કલાકમાં નોંધાયા કોરોનાના 17407 કેસ
પ્રતીકાત્મક તસવીર
ભારતમાં કોરોના વાઈરસ વિરૂદ્ધ લડતનો બીજો તબક્કો ચાલી રહ્યો છે. આ અંતર્ગત અત્યાર સુધીમાં 1.66 કરોડથી વધુ લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે. તે છતાં એકવાર ફરીથી કોરોનાના નવા કેસમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 17 હજારથી વધારે નવા કેસ નોંધાયા છે. જ્યારે 89 લોકોનું મોત થયું છે. એમાંથી વધારે કેસ મહારાષ્ટ્ર, પંજાબ, મધ્ય પ્રદેશ, હરિયાણા અને કર્ણાટકમાંથી સામે આવ્યા છે.
સ્વાસ્થય મંત્રાલય તરફથી જાહેર કરેલા આંકડા અનુસાર ભારતમાં છેલ્લા 24 કલાકમાં Covid-19ના 17,407 નવા કેસ સામે આવ્યા છે, ત્યાર બાદ સંક્રમિતોની કુલ સંખ્યા 1,11,39,516 થઈ ગઈ છે. આ સાથે જ 89 લોકોના મોત નીપજ્યાં છે અને કોરોનાથી થયેલા મૃત્યુદર 1,57,435 થઈ ગયો છે. દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા 1,73,413 અને સાજા થયેલા દર્દીઓની કુલ સંખ્યા 1,08,26,075 થઈ ગઈ છે.
ADVERTISEMENT
આઈસીએમઆર મુજબ દેશમાં 3 માર્ચ સુધી 21 કરોડ 91 લાખ 78 હજાર 908 નમૂનાઓનું કોરોના પરીક્ષણ કરવામાં આવ્યું છે. તેમાંથી બુધવારે 7,75,631 નમૂનાઓની તપાસ કરવામાં આવી હતી. જણાવી દઈએ કે ગયા વર્ષે 16 સપ્ટેમ્બરના રોજ સંક્રમણના કુલ 50 લાખ કેસ, 28 સપ્ટેમ્બરના રોજ 60 લાખ, 11 ઑક્ટોબરના રોજ 70 લાખ, 29 ઑક્ટોબરના રોજ 80 લાખ અને 20 નવેમ્બરના રોજ 90 લાખ અને 19 ડિસેમ્બરના રોજ એક કરોડના પાર આંકડો ચાલી ગયો હતો.