Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > શ્રી રામ મંદિર નિર્માણ નિધિ અભિયાનમાં અમદાવાદમાં 20 કરોડથી વધુનો ફાળો

શ્રી રામ મંદિર નિર્માણ નિધિ અભિયાનમાં અમદાવાદમાં 20 કરોડથી વધુનો ફાળો

16 January, 2021 12:52 PM IST | Ahmedabad

શ્રી રામ મંદિર નિર્માણ નિધિ અભિયાનમાં અમદાવાદમાં 20 કરોડથી વધુનો ફાળો

ફાઈલ તસવીર

ફાઈલ તસવીર


અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ પર નિર્માણ પામનાર ભગવાન શ્રી રામના મંદિર માટે અમદાવાદમાં ગઈ કાલથી શરૂ થયેલા નિધિ અભિયાનમાં ૨૦ કરોડથી વધુની રકમનો ફાળો એકઠો થયો હતો.

અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા વિશ્વ હિન્દુ પરિષદના કાર્યાલય ખાતે ગઈ કાલે યોજાયેલા નિધિ સમર્પણ સમારોહમાં ગુજરાતના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે શ્રી રામ મંદિર નિધિ સમર્પણ સમિતિમાં નિધિ અર્પણ કરીને દાતાઓને ઉદાર હાથે દાન કરવા અપીલ કરી હતી.સુરતના ડાયમન્ડના વેપારી અને સમિતિ અધ્યક્ષ ગોવિંદ ધોળકિયાએ ૧૧ કરોડ અને નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે ૧ લાખ ૧૧ હજાર ૧૧૧ રૂપિયાનો ફાળો આપ્યો હતો.’



વટવામાં યોજાયેલા કાર્યક્રમમાં ગુજરાતના ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ કાર્યક્રમમાં રૂપિયા ૧ લાખનો ચેક શ્રી રામ મંદિરના નિર્માણ માટે આપ્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

16 January, 2021 12:52 PM IST | Ahmedabad

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK