મધ્ય પ્રદેશ ભોપાલનાં બીજેપી સંસદસભ્ય પ્રજ્ઞા ઠાકુરના મતે ગૌમૂત્ર પીવાથી તે કોરોનાથી બચી શકી છે.
પ્રજ્ઞા ઠાકુર
મધ્ય પ્રદેશ ભોપાલનાં બીજેપી સંસદસભ્ય પ્રજ્ઞા ઠાકુરના મતે ગૌમૂત્ર પીવાથી તે કોરોનાથી બચી શકી છે. વળી જ્યાં સુધી પીશે ત્યાં સુધી બચશે. ભોપાલમાં આયોજિત એક સમારંભમાં પ્રજ્ઞા ઠાકુરે કહ્યું હતું કે ‘દેશી ગાયનું મૂત્ર પીવાથી તેનાં ફેફસાં વાઇરસથી સંક્રમિત થયાં નથી. જ્યાં સુધી ગૌમૂત્ર પીશ ત્યાં સુધી મારે બીજી કોઈ દવાની જરૂર નથી.’ સંસદસભ્યના આ નિવેદનને કારણે મોટો વિવાદ થયો છે. કૉન્ગ્રેસના નેતા નરેન્દ્ર સલુજાએ કટાક્ષમાં કહ્યું હતું કે ‘કોરોનાની તમામ જવાબદારી પ્રજ્ઞા ઠાકુરને આપી દેવી જોઈએ જેથી માત્ર દેશમાંથી જ નહીં, સમગ્ર વિશ્વમાંથી આ રોગ નાબૂદ થઈ જાય.’