ગાંધીજીને રાષ્ટ્રપિતાનો દરજ્જો ન આપી શકાય : કેન્દ્ર સરકાર
સરકારના જણાવ્યા પ્રમાણે બંધારણમાં સૈન્ય અને શિક્ષણ સિવાય અન્ય કોઈ પણ ઉપાધિ આપવાની જોગવાઈ નથી. માહિતી મેળવવાના અધિકાર હેઠળ પૂછવામાં આવેલા સવાલનો જવાબ આપતાં ગૃહમંત્રાલયે આ જવાબ આપ્યો હતો. લખનઉમાં સાતમા ધોરણમાં ભણતી ઐશ્વર્યા નામની બાળકીએ કેન્દ્ર સરકારને આ સવાલ પૂછ્યો હતો. આ બાળકીએ અગાઉ પણ ગાંધીજીને રાષ્ટ્રપિતા જાહેર કરવાને લઈને આરટીઆઇ હેઠળ સવાલો પૂછ્યાં હતા. અગાઉ તેણે તત્કાલીન રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલ તથા વડા પ્રધાન મનમોહન સિંહને પત્ર લખીને ગાંધીજીને રાષ્ટ્રપિતા જાહેર કરવાની માગણી કરી હતી.
આરટીઆઇ = રાઇટ ટુ ઇન્ફર્મેશન