સીએમ સવારે એન્ટિજન ટેસ્ટમાં નેગેટિવ હતા. તે સમયે આરટીપીસીઆર ટેસ્ટ પણ કરાવવામાં આવી. હવે રિપૉર્ટ આવ્યા પથી ખબર પડી છે કે તેઓ કોરોના પૉઝિટીવ છે.
નીતીશ કુમાર
બિહારમાં કોવિડ સંક્રમણ ઝડપથી પોતાનો પગપેસારો કરી રહ્યો છે. કોરોનાના નવા વેરિએન્ટ સાથે હવે ડેલ્ટા અને ઑમિક્રૉને પણ લોકોને પોતોની ચપેટમાં લેવાનું શરૂ કરી દીધું છે. અહીં હવે ફરી એકવાર બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર પણ કોરોના સંક્રમિત થયા છે. કહેવામાં આવી રહ્યું છે કે સીએમ સવારે એન્ટિજન ટેસ્ટમાં નેગેટિવ હતા. તે સમયે આરટીપીસીઆર ટેસ્ટ પણ કરાવવામાં આવી. હવે રિપૉર્ટ આવ્યા પથી ખબર પડી છે કે તેઓ કોરોના પૉઝિટીવ છે.
સાવચેતી રાખવાની કરી અપીલ
સીએમઓ બિહાર પર ટ્વીટ કરીને આ માહિતી આપવામાં આવી છે. લખવામાં આવ્યું છે કે, "માનનીય મુખ્યમંત્રી શ્રી નીતીશ કુમાર કોરોના તપાસમાં પૉઝિટીવ આવ્યા છે. ડૉક્ટરની સલાહ પર તે હોમ આઇસોલેશનમાં છે. તેમણે બધાને કોવિડ અનુકૂળ સાવચેતીઓ રાખવાની અપીલ કરી છે."
ADVERTISEMENT
माननीय मुख्यमंत्री श्री नीतीश कुमार कोरोना जाँच में पॉज़िटिव पाये गए हैं। चिकित्सकों की सलाह पर वह होम आइसोलेशन में हैं। उन्होंने सभी से कोविड अनुकूल सावधानियां बरतने की अपील की है।
— CMO Bihar (@officecmbihar) January 10, 2022
કોરોનાની સાથે ફેલાઇ રહ્યું છે ઑમિક્રૉન
જણાવવાનું કે કોરોના સંકટ વચ્ચે પ્રદેશના સાત જિલ્લાના દર્દીઓમાં ઑમિક્રૉન વેરિએન્ટની પુષ્ઠિ થઈ છે. રવિવારે આઇજીઆઇએમએસ (IGIMS,Patna)ની માઇક્રૉબાયોલૉજી લેબમાં કરવામાં આવેલી જીનોમ સિક્વેંસિંગમાં 32 સંક્રમિતોના રિપૉર્ટ આવ્યા, જેમાંથી 27 લોકોમાં કોરોનાના ઑમિક્રૉન અને ચાર લોકોમાં ડેલ્ટા વેરિએન્ટી પુષ્ઠિ થઈ। જ્યારે એક સેમ્પલમાં અપુષ્ઠ વેરિએન્ટ મળ્યું છે. હૉસ્પિટલના અધિક્ષકે જણાવ્યું કે કુલ 32 સેમ્પલમાંથી 22 પટનાના હતા. પટનાના 22 સેમ્પલમાંથી 20માં ઑમિક્રૉન, એકમાં ડેલ્ટાની પુષ્ઠિ થઈ હતી, તેમણે જણાવ્યું કે સેમ્પલ પ્રવાસી ઇતિહાસવાળા દર્દીઓના છે, જે રાજ્યમાંથી બહાર ક્યાંક ફરવા કે સારવાર માટે ગયા હતા.