તમામ નાગરિકોએ કોવિડ પરીક્ષણ કરાવવું જોઈએ અને કોરોના વાઇરસના પ્રોટોકૉલનું પાલન કરી સુરક્ષિત રહેવું જોઈએ.
ત્રિપુરાના મુખ્ય પ્રધાન થયા કોરોના પૉઝિટિવ
ત્રિપુરાના મુખ્ય પ્રધાન બિપ્લબ કુમાર દેબના કોવિડ-19 પરીક્ષણનું પરિણામ પૉઝિટિવ આવ્યું છે અને તેઓ ઘરે જ સેલ્ફ-આઇસોલોટેડ છે એમ તેમણે ટ્વીટ કરીને જણાવ્યું હતું. ડૉક્ટરની સલાહ મુજબ સેલ્ફ-આઇસોલેશન પાળી રહ્યો છું એમ જણાવતાં ટ્વિટરમાં તેમણે વધુમાં કહ્યું હતું કે તમામ નાગરિકોએ કોવિડ પરીક્ષણ કરાવવું જોઈએ અને કોરોના વાઇરસના પ્રોટોકૉલનું પાલન કરી સુરક્ષિત રહેવું જોઈએ.