નંદીગ્રામમાં ૮૮ ટકા લોકોએ મત આપ્યા
મમતા બૅનરજી કૂચ બિહાર જિલ્લામાં ગઈ કાલે ચૂંટણીપ્રચાર સભા સંબોધી રહ્યાં હતાં ત્યારે ટેકેદારે નજીક આવી તેમને વંદન કર્યા હતા. પી.ટી.આઇ.
ADVERTISEMENT
પશ્ચિમ બંગાળમાં ચૂંટણીસભાને સંબોધતાં મોદીએ જણાવ્યું હતું કે ‘મમતા બૅનરજી પશ્ચિમ બંગાળમાં છેલ્લા તબક્કામાં મતદાન થવાનું હોય એવી અન્ય બેઠક પરથી લડી શકે છે એ પ્રકારની ઘણી અફવા ઊડી રહી છે.
નંદીગ્રામમાં ૮૮ ટકા લોકોએ મત આપ્યા
પશ્ચિમ બંગાળમાં ગુરુવારે બીજા તબક્કામાં ૮૬.૧૧ ટકા મતદારોએ મતદાન કર્યું હતું. ગુરુવારે સત્તાવાર રીતે જણાવાયું હતું કે રાજ્યમાં બીજા તબક્કામાં ૮૦ ટકા મતદાન થયું છે. જોકે ગઈ કાલે નવેસરથી સત્તાવાર આંકડા આપવામાં આવ્યા હતા.
નંદીગ્રામ મતદારક્ષેત્ર જ્યાં મમતા બૅનરજી ટીએમસીમાંથી છૂટાં થઈ બીજેપીમાં જોડાયેલા સુવેન્દુ અધિકારી સામે ચૂંટણી લડી રહ્યા છે ત્યાં ૮૮.૦૧ ટકા મતદારોએ મતદાન કર્યું હોવાનું સીઈઓએ જણાવ્યું હતું. નંદીગ્રામ આખા બંગાળ રાજ્યમાં સૌથી મહત્ત્વનો મતવિસ્તાર છે.