Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > Bengal SSC Scam: પાર્થ ચેટર્જી વિરુદ્ધ EDની કાર્યવાહી ચાલુ, 48 કરોડની સંપત્તિ જપ્ત

Bengal SSC Scam: પાર્થ ચેટર્જી વિરુદ્ધ EDની કાર્યવાહી ચાલુ, 48 કરોડની સંપત્તિ જપ્ત

19 September, 2022 07:20 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ જણાવ્યું હતું કે ટાંચમાં લેવાયેલી મિલકતોમાં 40.33 કરોડ રૂપિયાની 40 સ્થાવર મિલકતો અને 35 બેન્ક ખાતાઓમાં 7.89 કરોડ રૂપિયાનું બેલેન્સ સામેલ છે

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


પશ્ચિમ બંગાળના કથિત શિક્ષક ભરતી કૌભાંડમાં EDએ પૂર્વ પ્રધાન પાર્થ ચેટર્જી અને તેમના સહયોગીઓની રૂા. 48 કરોડની સંપત્તિ જપ્ત કરી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ સોમવારે જણાવ્યું હતું કે તેણે શિક્ષક ભરતી કૌભાંડમાં મની લોન્ડરિંગ તપાસના ભાગરૂપે ભૂતપૂર્વ પ્રધાન પાર્થ ચેટર્જી અને તેમના કથિત સહયોગી અર્પિતા મુખર્જીની 48 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ જણાવ્યું હતું કે ટાંચમાં લેવાયેલી મિલકતોમાં 40.33 કરોડ રૂપિયાની 40 સ્થાવર મિલકતો અને 35 બેન્ક ખાતાઓમાં 7.89 કરોડ રૂપિયાનું બેલેન્સ સામેલ છે. અટેચ કરેલી મિલકતોમાં ફ્લેટ, ફાર્મહાઉસ, કોલકાતા શહેરમાં જમીન અને બેન્ક ખાતામાં જમા રકમનો સમાવેશ થાય છે. તેમાં કહેવામાં આવ્યું છે કે અટેચ કરેલી મિલકતો પર પાર્થ ચેટર્જી અને અર્પિતા મુખર્જીની ફાયદાકારક માલિકી મળી આવી છે.



કેન્દ્રીય એજન્સીના જણાવ્યા અનુસાર, અટેચ કરવામાં આવેલી ઘણી મિલકતો શેલ કંપનીઓ અને ચેટર્જીના પ્રોક્સી તરીકે કામ કરતા વ્યક્તિઓના નામે નોંધાયેલી હતી. EDએ અગાઉ શિક્ષક ભરતી કૌભાંડના સંબંધમાં વિવિધ જગ્યાઓ પર સર્ચ ઓપરેશન હાથ ધર્યા બાદ પાર્થ ચેટર્જી અને તેની સહયોગી અભિનેત્રી અર્પિતા મુખર્જીની ધરપકડ કરી હતી.


દરોડામાં કરોડો રૂપિયાનો મુદ્દામાલ મળી આવ્યો હતો

22 જુલાઈ અને 27 જુલાઈના રોજ સર્ચ દરમિયાન, EDએ બે જગ્યાઓમાંથી કુલ રૂા. 49.80 કરોડ રોકડ અને રૂા. 5.08 કરોડથી વધુની કિંમતના સોના અને ઝવેરાત જપ્ત કર્યા હતા. હાલના જોડાણ સાથે, કેસમાં કુલ જોડાણ રૂા. 103.10 કરોડ છે.


સીબીઆઈએ પાર્થ ચેટરજીની કસ્ટડી માગી હતી

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે પ્રિવેન્શન ઑફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ ચેટરજીની ધરપકડ કરી હતી. 14 સપ્ટેમ્બરે કોલકાતાની કોર્ટે તેને 28 સપ્ટેમ્બર સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધો હતો. તે જ સમયે, શુક્રવારે સીબીઆઈએ પૂછપરછ માટે ચેટરજીની કસ્ટડી માગી હતી. કોલકાતાની એક કોર્ટે શુક્રવારે કથિત શિક્ષક ભરતી કૌભાંડમાં પશ્ચિમ બંગાળના ભૂતપૂર્વ શિક્ષણ પ્રધાન પાર્થ ચેટરજીને 21 સપ્ટેમ્બર સુધી સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશનની કસ્ટડીમાં મોકલી દીધા છે.

આ પણ વાંચો: Bengal SSC Scam: પાર્થ ચેટર્જી વિરુદ્ધ EDની કાર્યવાહી ચાલુ, 48 કરોડની સંપત્તિ જપ્ત

Whatsapp-channel Whatsapp-channel

19 September, 2022 07:20 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK