Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > Crime News: શ્રદ્ધા બાદ હવે આયુષીની હત્યા, પણ શું આ ઘટનામાં બાપ બન્યો હત્યારો?

Crime News: શ્રદ્ધા બાદ હવે આયુષીની હત્યા, પણ શું આ ઘટનામાં બાપ બન્યો હત્યારો?

21 November, 2022 03:04 PM IST | Mathura
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

બીસીએની વિદ્યાર્થીની આયુષી (Ayushi Murder)ની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી, ત્યારબાદ તેના મૃતદેહને ટ્રોલી બેગમાં પેક કરીને યમુના એક્સપ્રેસ સર્વિસ રોડ પર ફેંકી દેવામાં આવ્યો હતો.

પ્રતીકાત્મક તસવીર

Crime News

પ્રતીકાત્મક તસવીર


હજી તો શ્રદ્ધા હત્યા કેસના ભણકારા બંધ નથી થયા ત્યાં ઉત્તર પ્રદેશની બીજી એવી જ ઘટના સામે આવી છે. આશ્ચર્ય એ છે કે આ ઘટનામાં સગા બાપે જ દીકરીની ગોળી મારી હત્યા કરી હોવાની શંકા છે. બીસીએની વિદ્યાર્થીની આયુષી (Ayushi Murder)ની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી, ત્યારબાદ તેના મૃતદેહને ટ્રોલી બેગમાં પેક કરીને યમુના એક્સપ્રેસ સર્વિસ રોડ પર ફેંકી દેવામાં આવ્યો હતો. આ કિસ્સામાં પરિવારના સભ્યોએ પુત્રીના ગુમ થયાની નોંધ પણ કરી ન હતી. પોલીસ જ્યારે મૃતક વિદ્યાર્થીનીના ઘરે પહોંચી ત્યારે તેના પિતા ત્યાં ન હતા. બાદમાં પોલીસે તેને શોધી કાઢ્યો હતો. રવિવારે મોડી રાત્રે પૂછપરછ દરમિયાન પિતાએ પુત્રીની હત્યા કર્યાની કબૂલાત કરતાં પોલીસ માટે હત્યા સંબંધિત પુરાવા એકત્રિત કરવાનું સરળ બન્યું હતું. 

મોડી રાત્રે પોલીસની ટીમ હત્યાના સ્થળનો કબજો મેળવવાની કામગીરીમાં લાગી ગઈ હતી અને મૃતદેહને લઈ જવા માટે વપરાયેલી કાર, જે હથિયારથી ગોળી ચલાવવામાં આવી હતી તે વગેરેનો કબજો મેળવ્યો હતો. 18 નવેમ્બરની સવારે યમુના એક્સપ્રેસના સર્વિસ રોડ પર કૃષિ સંશોધન કેન્દ્ર પાસે ઝાડીઓમાંથી એક ટ્રોલી બેગ મળી આવી હતી. બાળકીનો મૃતદેહ ટ્રોલી બેગમાં હતો.આના 48 કલાકમાં જ પોલીસ મૃતકના ઘરે પહોંચી ગઈ હતી. રવિવારે મોડી સાંજે માતા અને ભાઈએ મૃતકની ઓળખ કરી હતી. પોલીસ હાલ તપાસ ચાલુ હોવાનું જણાવી આ મામલે મૌન છે. જોકે શરૂઆતમાં પોલીસને લાઈન મળી હતી કે હત્યારો પિતા છે.



આ કારણોસર પોલીસની ટીમો પિતા, ભાઈ અને માતાને દિલ્હીથી લઈ આવી હતી, પરંતુ પિતાને પોસ્ટમોર્ટમ હાઉસમાં લાવી ન હતી. માત્ર બ્રિજબાલા અને ભાઈ આયુષને થાણા રાયના ઈન્ચાર્જ ઈન્સ્પેક્ટર ઓમ હરિ વાજપેયી, એસઆઈ વિનય કુમાર અને એક કોન્સ્ટેબલ સાથે ખાનગી કારમાં લાવ્યાં હતાં.
નોંધનીય છે કે આયુષી 17 નવેમ્બરે જ ગુમ થઈ ગઈ હતી, તેના ગુમ થવાનું ક્યાંય નોંધાયું નથી. સાથે જ હત્યા બાદ પિતા પણ ઘર છોડીને ચાલ્યા ગયા હતા. પોલીસ આજે આ સમગ્ર ઘટનાના તમામ પાસાઓનો પર્દાફાશ કરશે તેવો અંદાજ છે.


રૈયા પોલીસ સાથે પોસ્ટમોર્ટમ હાઉસ પહોંચેલા માતા અને ભાઈએ મોઢા ઢાંક્યા હતા. પોસ્ટમોર્ટમ હાઉસની અંદરના રૂમમાં પ્રવેશતાની સાથે જ પોલીસે ફ્રીઝર ખોલ્યું, મૃતદેહ જોઈને માતા અને ભાઈના પગ નીચેથી જમીન ધસી ગઈ હતી.  પીડિતાના પિતા વર્ષોથી દિલ્હીના મોઢ બંધ ગામમાં પરિવાર સાથે રહે છે. નીતિશની ઈલેક્ટ્રોનિક્સની દુકાન છે. જ્યારે આયુષી બીસીએની વિદ્યાર્થીની હતી. આયુષીની હત્યા શા માટે થઈ, તે રહસ્ય હજુ યથાવત છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર 17 નવેમ્બરે બપોરે જ આયુષીની હત્યા કરવામાં આવી હતી. આ પછી તેનો મૃતદેહ ઘરમાં રાખવામાં આવ્યો હતો. આ બધું પરિવારના અન્ય સભ્યોની સામે થયું. રાતની રાહ જોવાઈ અને પિતા પુત્રીના મૃતદેહને ટ્રોલી બેગમાં લઈને યમુના એક્સપ્રેસ વે તરફ રવાના થયા.


રસ્તામાં લાશ ફેંકવાનો મોકો મળ્યો નહીં. મથુરાના રાયમાં આવીને તેણે મોડી રાત્રે થેલી ફેંકી દીધી. 18 નવેમ્બરના રોજ સવારે 11:00 વાગ્યે પોલીસને માહિતી મળી હતી કે યમુના એક્સપ્રેસ વે પર એક થેલી પડી છે, જેમાંથી લોહી નીકળતું હતું.

Whatsapp-channel Whatsapp-channel

21 November, 2022 03:04 PM IST | Mathura | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK