ઓવૈસી પ્રમાણે, આ સર્વેને તરત અટકાવવો જોઈએ. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો છે કે શું વડાપ્રધાન નરેન્દ્ર મોદી 1991ના એક્ટને નહીં માને. મુસ્લિમ નેતાએ કહ્યું કે તે મુગલના નહીં પણ સંવિધાનના પૌરોકાર છે.

ફાઈલ તસવીર
AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસી (Asadussin Owaisi)એ જ્ઞાનવાપી મસ્જિદ પર કૉર્ટનો નિર્ણય આવ્યા પછી તીખી પ્રતિક્રિયા આપી છે. તેમમે વારાણસી કૉર્ટના નિર્ણયને ખોટો જાહેર કર્યો. ઓવૈસી પ્રમાણે, મુસ્લિમ પર્સનલ લૉ બૉર્ડને આ નિર્ણય વિરુદ્ધ સુપ્રીમ કૉર્ટનો દરવાજો ખખડાવવો જોઈએ. ન્યૂઝ ચેનલ સાથે વાતચીતમાં ઓવૈસીએ બાબરી મસ્જિદ વિધ્વંસનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે મુસ્લિમ એક મસ્જિદ ગુમાવી ચૂક્યા છે. હવે બીજી મસ્જિદ નહીં ગુમાવી શકે. વારાણસી કૉર્ટે ગુરુવારે જ્ઞાનવાપી મસ્જિદના ભૂગર્ભમાં વીડિયોગ્રાફી સર્વેના આદેશ આપ્યા છે. સાથે જ આ બાબતે રિપૉર્ટ 17મે સુધી જમા કરાવવા પણ કહ્યું છે. ઓવૈસી પ્રમાણે, આ સર્વેને તરત અટકાવવો જોઈએ. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો છે કે શું વડાપ્રધાન નરેન્દ્ર મોદી 1991ના એક્ટને નહીં માને. મુસ્લિમ નેતાએ કહ્યું કે તે મુગલના નહીં પણ સંવિધાનના પૌરોકાર છે.
અસદુદ્દીન ઓવૈસીએ જ્ઞાનવાપી મસ્જિદ પર વારાણસી કૉર્ટનો નિર્ણય આવ્યા પછી રિએક્શન આપ્યું. જ્યારે ઓવૈસીને પૂછવામાં આવ્યું કે આ નિર્ણયને તે કેવી રીતે જુએ છે તો તેનો જવાબ તેમણે સવિસ્તર આપ્યો છે. તેમણે સ્પષ્ટ કહ્યું કે કૉર્ટનો નિર્ણય ખોટો છે. તેમણે પાર્લિયામેન્ટમાં બનેલા પ્લેસેઝ ઑફ રિલીજિયસ વર્શિપ એક્ટ વિરુદ્ધ આ નિર્ણય આપ્યો છે. આ નિર્ણય વિરુદ્ધ તરત મસ્જિદની કમિટી અને મુસ્લિમ પર્સનલ લૉ બૉર્ડને સુપ્રીમ કૉર્ટ જવું જોઈએ. આ સર્વેને અટકાવવાનો પ્રયત્ન કરવો જોઈએ.
ઓવૈસીએ કહ્યું કે ભારતની સંસદમાં 1991માં આ બાબતે નિર્ણય લેવામાં આવ્યો હતો. આમાં કહેવામાં આવ્યું છે કે હકિકત એ જ રહેશે કે બાબરી મસ્જિદ સિવાય 15 ઑગસ્ટ 1947 બાદ જેટલા પણ ધારમિક સ્થળો છે, તેમને તેમના નેચર અને કેરેક્ટરને ક્યારેય ડિસ્ટર્બ નહીં કરવામાં આવે. એટલે કે જેમ ના તેમ રહેશે. આમાં છેડછાડ નહીં થાય. આ હકિકત આપણે માનવી પડશે.
મહિલા અરજીકર્તાઓના માતા શ્રૃંગાર ગૌરીની પૂજા કરવાના પ્રશ્ન પર ઓવૈસી બોલ્યા કે જે હકિકત છે તે છે. 1991ના એક્ટમાં જે કહેવામાં આવ્યું છે, તે બધાને માનવું પડશે. મથુરા અને આગરાનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે ત્યાં પણ આ વાત લાગુ પડે છે. આ એક્ટના આધારે નિર્ણય આવવો જોઈએ.
તેમણે કહ્યું આ જુદી વાત છે કે દેશના વડાપ્રધાન કહેશે કે આ મારી આસ્થાનો પ્રશ્ન છે. મારી પાસે લોકસભામાં 300 એમપી છે. રાજ્યસભામાં મારી મેજૉરિટી છે. હું 1991ની એક્ટને જ ખતમ કરી દઈશ તો વાત જુદી છે.