Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > બંગાળની ખાડીમાં INS Koraમાંથી કરાયું એંટી શીપ મિસાઈલ પરિક્ષણ

બંગાળની ખાડીમાં INS Koraમાંથી કરાયું એંટી શીપ મિસાઈલ પરિક્ષણ

30 October, 2020 04:20 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

બંગાળની ખાડીમાં INS Koraમાંથી કરાયું એંટી શીપ મિસાઈલ પરિક્ષણ

તસવીર સૌજન્યઃ ઈન્ડિયન નેવીનું ટ્વીટર અકાઉન્ટ

તસવીર સૌજન્યઃ ઈન્ડિયન નેવીનું ટ્વીટર અકાઉન્ટ


ઈન્ડિયન નેવીએ શુક્રવારે વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે. શુક્રવારે આઈએનએસ કોરામાંથી એંટી શીપ મિસાઈનું પરિક્ષણ કરવામાં આવ્યું હતું.

બંગાળની ખાડીમાં તેનું પરિક્ષણ કરાયું હતું. જાણકારી પ્રમાણે આ મિસાઈલે ખુબ જ સટીક નિશાન લગાવ્યું અને જે શિપ પર પરિક્ષણ કરવામાં આવ્યું તેણે શિપને નષ્ટ કરી દીધી હતી.




ભારતીય નેવીએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે, INS કોરાથી છોડવામાં આવેલી મિસાઈલની સૌથી વધારે રેંજનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેનું નિશાન બિલકુલ સટીક લાગ્યું છે. આઈએનએસ કોરા એક કોરા ક્લાસ જંગી જહાજ છે. જેનો ઉપયોગ આ પ્રકારની મીસાઈલ છોડવા માટે કરવામાં આવે છે. તેને 1998માં ભારતીય નેવીમાં સમાવેશ થયો હતો.


આ શિપની ડીઝાઈન ભારતીય નેવીના પ્રોજેક્ટ 25એ હેઠળ કરવામાં આવી છે. આ જંગી જહાજમાં KH- 35 એન્ટી શિપ મિસાઈલથી તૈનાત કરવામાં આવી છે. જણાવી દઈએ કે, ભારતીય નેવીની પાસે આ પ્રકારના ત્રણ જંગી જહાજો છે. જેમાં આઈએનએસ કિર્ચ, આઈએનએસ કુલિશ અને આઈએનએસ કરમુકનો સમાવેશ થાય છે.

Whatsapp-channel Whatsapp-channel

30 October, 2020 04:20 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK