એમણે ઘરના સભ્યદીઠ ૫ કિલો રૅશનિંગનું અનાજ આપ્યું. જેમને ત્યાં ૧૦ મેમ્બર હતા ત્યાં ૫૦ કિલો, ૨૦ હતા ત્યાં ૧૦૦ કિલો અનાજ મળ્યું.
ઉત્તરાખંડના મુખ્ય પ્રધાનનું વધુ એક વિવાદાસ્પદ વિધાન
નવી દિલ્હી: તીરથ સિંહ રાવત પોતાના વિવાદાસ્પદ વિધાનને કારણે તેઓ સતત ચર્ચામાં રહ્યા છે. ફાટેલી જિન્સના મુદ્દે વિવાદ જગાવ્યા બાદ હવે એમણે વધુ એક એવું ચર્ચાસ્પદ નિવેદન આપ્યું છે. કોરોના દરમ્યાન મોદીના આયોજનની પ્રશંસા કરતાં કહ્યું કે એમણે ઘરના સભ્યદીઠ ૫ કિલો રૅશનિંગનું અનાજ આપ્યું. જેમને ત્યાં ૧૦ મેમ્બર હતા ત્યાં ૫૦ કિલો, ૨૦ હતા ત્યાં ૧૦૦ કિલો અનાજ મળ્યું. તો પછી ઇર્ષા કેમ થાય છે કે તમે બે જ બાળકો કેમ પેદા કર્યાં ૨૦ કેમ નહીં. એટલું જ નહીં એમણે એમ પણ કહ્યું કે અમેરિકાએ ભારતને ૨૦૦ વર્ષ સુધી ગુલામ બનાવીને રાખ્યું હતું.