Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > હુમલાઓ બાદ કાશ્મીરમાંથી પરપ્રાંતિયોની હિજરત શરૂ

હુમલાઓ બાદ કાશ્મીરમાંથી પરપ્રાંતિયોની હિજરત શરૂ

19 October, 2021 09:37 AM IST | Srinagar
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

શ્રીનગર રેલવે સ્ટેશન પર ગઈ કાલે બિનસ્થાનિક કામદારોનું જૂથ પોતાના વતનના ગામે જવા એકત્ર થયું હતું

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


બિનસ્થાનિક કામદારો પરના શ્રેણીબંધ હુમલાઓ પછી ફેલાયેલા ગભરાટને કારણે કાશ્મીરની ઘાટીમાંથી અસંખ્ય બિનસ્થાનિક કામદારો કાશ્મીર છોડીને ભાગી ગયા હતા.

શ્રીનગર રેલવે સ્ટેશન પર ગઈ કાલે બિનસ્થાનિક કામદારોનું જૂથ પોતાના વતનના ગામે જવા એકત્ર થયું હતું. છેલ્લાં ૪૦ વર્ષથી આઇસક્રીમ વેચવા કાશ્મીર આવતા બિહારમાં ભાગલપુરના દિનેશ મંડાલે કાશ્મીર છોડવાનો નિર્ણય લીધો હતો. કાશ્મીરમાં પરિસ્થિતિ વણસી રહી છે અને બિનસ્થાનિક વિક્રેતાઓ અને કામદારોને ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યા છે. આવી પરિસ્થિતિમાં તેમણે કાશ્મીર ન રહી શકાય એમ જણાવતાં કાશ્મીર છોડવાનો નિર્ણય જાહેર કર્યો હતો.



બધા જ ડરેલા છે, અગાઉ વિક્રેતાઓ પર રસ્તા પર હુમલા કરવામાં આવતા હતા, પરંતુ હવે તેમને ઘરમાં ઘૂસીને મારવામાં આવી રહ્યા છે. કુલગામમાં શનિવારે બે બિનસ્થાનિકોની હત્યા કરાયા બાદ તેમણે કાશ્મીર છોડવાનો નિર્ણય લીધો હોવાનું જણાવ્યું હતુ.


Whatsapp-channel Whatsapp-channel

19 October, 2021 09:37 AM IST | Srinagar | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK