Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > બિહારમાં ‌બ્રિજ-હોનારત રોકવા માટે સુપ્રીમ કોર્ટમાં યાચિકા થઈ

બિહારમાં ‌બ્રિજ-હોનારત રોકવા માટે સુપ્રીમ કોર્ટમાં યાચિકા થઈ

Published : 05 July, 2024 11:32 AM | IST | Bihar
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રાજ્યના તમામ બ્રિજનું મૉનિટરિંગ કરવા માટે પૉલિસી બનાવવાની પણ માગણી યાચિકામાં કરવામાં આવી છે.

સુપ્રીમ કોર્ટની ફાઇલ તસવીર

સુપ્રીમ કોર્ટની ફાઇલ તસવીર


બિહારમાં છેલ્લા ૧૫ દિવસમાં ૯ બ્રિજ તૂટી પડ્યા હોવાથી રાજ્યના તમામ બ્રિજનું રાજ્ય સરકાર સ્ટ્રક્ચરલ ઑડિટ કરે એવો નિર્દેશ સુપ્રીમ કોર્ટ આપે એ માટે જાહેર હિતની યાચિકા દાખલ કરવામાં આવી છે. છેલ્લાં બે વર્ષમાં રાજ્યમાં બંધાઈ રહેલા બ્રિજ અને થોડા જૂના થઈ ગયેલા બ્રિજ તૂટવાની ઘણી ઘટના બની હોવાથી જાનમાલનું નુકસાન થયું હોવાથી આ બાબતે ઉપાય યોજના કરવા માટે સુપ્રીમ કોર્ટને આદેશ આપવાનું આ યાચિકામાં કહેવામાં આવ્યું છે.


પિટિશનમાં કહેવામાં આવ્યું છે કે આને સામાન્ય અકસ્માત ન કહેવાય, કારણ કે આ તો માનવસર્જિત હોનારતો છે. રાજ્યની ભૌગોલિક સ્થિતિ જોતાં ૭૩.૦૬ ટકા વિસ્તારમાં પૂર આવવાની ભારોભાર શક્યતા છે. જો આ વાતને ધ્યાનમાં લેવામાં નહીં આવે તો મોટી જાનહાનિનું જોખમ રહેલું છે. રાજ્યના તમામ બ્રિજનું મૉનિટરિંગ કરવા માટે પૉલિસી બનાવવાની પણ માગણી યાચિકામાં કરવામાં આવી છે.


Whatsapp-channel Whatsapp-channel

05 July, 2024 11:32 AM IST | Bihar | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK