Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > દિલ્હીમાં ઘરમાંથી એક જ પરિવારના પાંચ સભ્યોના મૃતદેહ મળી આવતાં હાહાકાર

દિલ્હીમાં ઘરમાંથી એક જ પરિવારના પાંચ સભ્યોના મૃતદેહ મળી આવતાં હાહાકાર

13 February, 2020 04:22 PM IST | Mumbai Desk

દિલ્હીમાં ઘરમાંથી એક જ પરિવારના પાંચ સભ્યોના મૃતદેહ મળી આવતાં હાહાકાર

દિલ્હીમાં ઘરમાંથી એક જ પરિવારના પાંચ સભ્યોના મૃતદેહ મળી આવતાં હાહાકાર


ઉત્તર-પૂર્વ દિલ્હીના ભજપુરા વિસ્તારના એક ઘરમાંથી બુધવારે એક જ પરિવારના પાંચ સભ્યોના મૃતદેહ મળી આવ્યા છે. જેમાંથી ત્રણ મૃતદેહ પુરુષોના જ્યારે બે મહિલાઓના છે. પોલીસે જણાવ્યું કે તેમને સવારે ૧૧.૩૦ વાગ્યે અહીંના એક ઘરમાંથી તીવ્ર વાસ આવવાની ફરિયાદ મળી હતી. ત્યારબાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને દરવાજો તોડીને અંદર ગઈ હતી. પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ મૃતદેહો છેલ્લા ઘણા દિવસોથી ઘરમાં બંધ હતા જેના કારણે તીવ્ર વાસ આવી રહી હતી. તેમનાં મોતનું કારણ હજી સુધી અકબંધ છે. ઘટનાસ્થળેથી કોઈ નોટ પણ મળી આવી નથી. તમામ મૃતદેહને પોસ્ટમૉર્ટમ માટે મોકલી દેવાયા છે.


Whatsapp-channel Whatsapp-channel

13 February, 2020 04:22 PM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK