Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > જમ્મુ-કાશ્મીરમાં ૩ આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા

જમ્મુ-કાશ્મીરમાં ૩ આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા

27 May, 2022 11:27 AM IST | Srinagar
Agency

કાશ્મીરના ઇન્સ્પેક્ટર જનરલ ઑફ પોલીસ વિજય કુમારે જણાવ્યું હતું કે માર્યા ગયેલા આતંકવાદીઓ લશ્કર-એ-તય્યાબાના હતા.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લામાં સુરક્ષા દળોએ ગઈ કાલે ઘૂસણખોરીની કોશિશને નિષ્ફળ બનાવી હતી અને લશ્કર-એ-તય્યબાના ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા હતા. પોલીસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ‘કુપવાડાના જુમાગુંડ ગામમાં આતંકવાદીઓ દ્વારા ઘૂસણખોરીના પ્રયાસ વિશે ચોક્કસ ઇનપુટ્સ મળ્યા હતા, જેના પગલે આર્મી અને પોલીસે આ આતંકવાદીઓને આંતર્યા હતા. આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ હતી, જેમાં આ ત્રણેય આતંકવાદીઓ ઠાર મરાયા હતા. કાશ્મીરના ઇન્સ્પેક્ટર જનરલ ઑફ પોલીસ વિજય કુમારે જણાવ્યું હતું કે માર્યા ગયેલા આતંકવાદીઓ લશ્કર-એ-તય્યાબાના હતા.


Whatsapp-channel Whatsapp-channel

27 May, 2022 11:27 AM IST | Srinagar | Agency

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK