Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > Coronavirus: બીજી લહેર હળવી બની, હાલ દેશમાં કુલ 8,26,740 લોકો સારવાર હેઠળ

Coronavirus: બીજી લહેર હળવી બની, હાલ દેશમાં કુલ 8,26,740 લોકો સારવાર હેઠળ

17 June, 2021 10:54 AM IST | mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 67, 208 કેસો નોંધાયા છે. જ્યારે 2330 દર્દીઓએના કોરનાને કારણે મોત થયા છે.

તસવીરઃ સૌજન્ય, આશિષ રાજે

તસવીરઃ સૌજન્ય, આશિષ રાજે


દેશમાં લોકો કોરોના સામે ઝઝુમી રહ્યાં છે. જોકે છેલ્લા કેટલાય સમયથી કોરોનાના કેસોમાં જોવા મળી રહેલો ઘટાડો રાહતની વાત છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 67, 208 કેસો નોંધાયા છે. જોકે કોરોનાને કારણે મૃત્યુ પામતા લોકોની વધતી જતી સંખ્યા ચિંતાનો વિષય છે.

કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 67,208 નવા કેસો સામે આવ્યાં છે.  જ્યારે 2330 દર્દીઓએના કોરનાને કારણે મોત થયા છે. તો બીજી બાજુ 1,03,570  જેટલા દર્દીઓને ડિચાર્જ કરવામાં આવ્યાં છે.  આ સાથે જ રાહતની વાત એ છે કે એક્ટિવ કેસોની સંખ્યામાં પણ ઘટાડો થયો છે, હાલ દેશમાં 8,26,740 દર્દીઓ કોરોનાની સારવાર હેઠળ છે. છેલ્લા 71 દિવસોમાં આ સૌથી નીચો આંક છે. 



અત્યાર સુધીમાં દેશમાં  2 કરોડ  97 લાખને પાર પહોંચી છે. તો કુલ મૃત્યુઆંક 3,81,903 પર પહોંચી ગયો છે. આ સામે જ  કુલ 2,84,91,670 લોકોને ડિચાર્જ કરવામાં આવ્યાં છે.  


મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 10,107 કેસો સામે આવ્યાં છે.  જ્યારે 237 લોકોના કોરોનાને કારણે મોત થયાં છે.  ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 298 કેસ જ નોંધાયા છે, જ્યારે 5 લોકોના મોત થયા છે. હાલ ગુજરાતમાં 8242 સક્રિય કેસ છે. 

 


Whatsapp-channel Whatsapp-channel

17 June, 2021 10:54 AM IST | mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK