Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



એકની અંદર એક

14 June, 2022 09:30 AM IST | Mumbai
Bakulesh Trivedi | bakulesh.trivedi@mid-day.com

પ્રફુલ્લા શાહના હૃદયના બગડેલા વાલ્વમાં નવો વાલ્વ બેસાડ્યો, એ પણ ઓપન હાર્ટ સર્જરી નહીં કરીને : વેસ્ટર્ન ઇન્ડિયામાં આવી પ્રથમ વિરલ સર્જરી

પ્રફુલ્લા શાહ (વચ્ચે), ડૉ. મૌલિક પારેખ અને પ્રફુલ્લાબહેનની દીકરી  વિશ્રુતિ સર્જરી પછી ખુશખુશાલ

પ્રફુલ્લા શાહ (વચ્ચે), ડૉ. મૌલિક પારેખ અને પ્રફુલ્લાબહેનની દીકરી વિશ્રુતિ સર્જરી પછી ખુશખુશાલ


મુંબઈની એચ. એન. રિલાયન્સ હૉસ્પિટલ (હરકિસનદાસ હૉસ્પિટલ)માં એક દરદી પર નવી જ ટેક્નિક સાથેની સર્જરી કરીને તેમના હૃદયમાં બગડી ગયેલા વાલ્વની અંદર જ નવો વાલ્વ બેસાડવામાં આવ્યો છે અને તેમને જીવતદાન આપવામાં આવ્યું છે. આ કેસમાં અગાઉ દરદીનો વાલ્વ બગડી જતાં ઓપન હાર્ટ સર્જરી કરીને નવો વાલ્વ બેસાડવામાં આવ્યો હતો. જોકે એ વાલ્વ કેટલાંક વર્ષો બાદ બગડી જતાં નવો વાલ્વ બેસાડવાની જરૂર ઊભી થઈ હતી, પણ બીજો વાલ્વ બદલતી વખતે ઓપન હાર્ટ સર્જરી કરવી બહુ જોખમી હોવાથી આખરે નૉન-સર્જિકલ ટ્રીટમેન્ટનો આશરો લેવો પડ્યો અને તેમના બગડી ગયેલા વાલ્વમાં જ નવો વાલ્વ બેસાડવામાં આવ્યો હતો. વેસ્ટર્ન ઝોનમાં પહેલી જ વાર આવી જટિલ પરંતુ ઓછી જોખમી એવી ટ્રીટમેન્ટ કરવામાં આવી છે.

આ અનોખા કેસ વિશે માહિતી આપતાં આ સારવાર કરનાર ડૉ. મૌલિક પારેખે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘માણસના હૃદયમાં કુલ ચાર વાલ્વ હોય છે. એમાંનો આ વાલ્વ જમણી સાઇડે હોય છે. આ કેસમાં ૬૪ વર્ષનાં દરદી પ્રફુલ્લા શાહની પંદરેક વર્ષ પહેલાં ઑલરેડી ઓપન હાર્ટ સર્જરી કરીને એ વાલ્વ બદલવામાં આવ્યો હતો, પણ વર્ષો જતાં એ વાલ્વ બગડી ગયો હતો, એથી તેમને પગમાં સોજા આવવા માંડ્યા હતા અને ચાલવામાં તકલીફ થતી હતી. ફરીથી ચેક કરતાં તેમનો એ વાલ્વ બગડી ગયેલો જણાયો હતો એટલે એ બદલવો જરૂરી હતો. તેમની ઉંમર જોતાં ફરી એક વખત ઓપન હાર્ટ સર્જરી કરીને આખું હૃદય ખોલી એ વાલ્વ બદલવો બહુ જોખમી હતું એથી નવી નૉન-સર્જિકલ ટેક્નિકનો સહારો અમે લીધો હતો. જે રીતે હૃદયની નળીઓમાં બ્લૉકેજ હોય તો સ્ટેન્ટ બેસાડવામાં આવે એવી રીતે આ વાલ્વ બેસાડાયો હતો, પણ મૂળ વાત એ છે કે એ સ્ટેન્ટની સાઇઝ માત્ર પાંચથી છ મિલીમીટર હોય છે, જ્યારે આ વાલ્વ ૨૫થી ૨૬ એમએમનો હોય છે. પગની નસમાંથી ટ્યુબ પાસ કરીને એ હૃદય સુધી લઈ જવાય અને એ પછી એમાંથી સંકોચીને રાખેલો વાલ્વ જૂના વાલ્વમાં ઇન્સર્ટ કરાય. એ વખતે સંકોચીને રખાયેલો વાલ્વ ખૂલીને જૂના વાલ્વમાં ફિસટ થઈ જાય અને એનું કામ કરવા માંડે. જોકે આ ટેક્નિકમાં જૂના વાલ્વને કાઢી નથી શકાતો, જૂના વાલ્વમાં જ નવો વાલ્વ ફિ્ટ થઈ જાય છે.’



મુંબઈમાં, વેસ્ટર્ન ઇન્ડિયામાં પહેલી જ વાર આવી ટ્રીટમેન્ટ કરવામાં આવી છે એમ જણાવતાં ડૉ. મૌલિક પારેખે વધુમાં કહ્યું હતું કે ‘આ વાલ્વ ટિકશ્યુમાંથી બને છે અને એ આપણે ત્યાં તૈયાર નથી કરી શકાતો એથી વિદેશથી ઇમ્પોર્ટ કરવો પડે છે, જેથી ટ્રીટમેન્ટની કૉસ્ટ વધી જાય છે. અંદાજે આ ટ્રીટમેન્ટનો ખર્ચ ૧૫થી ૨૫ લાખ આવી શકે છે, પણ ડેફિનેટલી એ લાઇફ સેવિંગ ડિવાઇસ તો કહી જ શકાય અને જીવથી મોટું કંઈ જ નથી.’   


Whatsapp-channel Whatsapp-channel

14 June, 2022 09:30 AM IST | Mumbai | Bakulesh Trivedi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK