Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > એમવીએ સરકારને ઉથલાવવાનો ખર્ચ ભરપાઈ કરવા માટે એલપીજીના ભાવ વધારાયા છે? : એનસીપીએ કર્યો સવાલ

એમવીએ સરકારને ઉથલાવવાનો ખર્ચ ભરપાઈ કરવા માટે એલપીજીના ભાવ વધારાયા છે? : એનસીપીએ કર્યો સવાલ

07 July, 2022 10:47 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કેન્દ્રએ રાંધણગૅસના ભાવમાં સિલિન્ડરદીઠ ૫૦ રૂપિયાનો વધારો કર્યો હતો

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


એલપીજી સિલિન્ડરના ભાવમાં ૫૦ રૂપિયાનો વધારો થતાં કેન્દ્રની બીજેપીશાસિત સરકારની ટીકા કરતાં એનસીપીએ બુધવારે સવાલ કર્યો હતો કે શું રાજ્યમાં મહાવિકાસ આઘાડી (એમવીએ) સરકારને ઉથલાવવામાં ખર્ચાયેલાં નાણાં પ્રજા પાસેથી વસૂલવામાં આવી રહ્યાં છે?

કેન્દ્રએ રાંધણગૅસના ભાવમાં સિલિન્ડરદીઠ ૫૦ રૂપિયાનો વધારો કર્યો હતો, જે મે મહિનાથી લઈને કરાયેલો ત્રીજો ભાવવધારો છે.



એનસીપીના મુખ્ય પ્રવક્તા મહેશ તાપસેએ બુધવારે એક યાદીમાં જણાવ્યું હતું કે ‘૫૦ વિધાનસભ્યોને સુરત લઈ જવાયા. ત્યાંથી ગુવાહાટી અને પછી ગોવા લઈ જઈને તેમને વૈભવી હોટેલોમાં રાખવામાં આવ્યા. આ સમગ્ર ઑપરેશન પાછળ સારોએવો ખર્ચો થયો હોવો જોઈએ અને દેશના સામાન્ય નાગરિકોને સવાલ થાય છે કે શું એલપીજીના આ ભાવવધારાને એ ઘટના સાથે સબંધ છે કે કેમ?’


દરમિયાન લોકસભાનાં સંસદસભ્ય સુપ્રિયા સુળેએ પણ ટ્વીટ કરી હતી કે નાગરિકો ફુગાવાથી પરેશાન છે ત્યારે આવા ભાવવધારાથી તેમની મુશ્કેલી વધવાની શક્યતા છે.


Whatsapp-channel Whatsapp-channel

07 July, 2022 10:47 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK