Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > કયા સંજોગોમાં સરકાર તૂટે અને કયા સંજોગોમાં બને એની મગજમારી

કયા સંજોગોમાં સરકાર તૂટે અને કયા સંજોગોમાં બને એની મગજમારી

22 June, 2022 09:07 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

એકનાથ શિંદેએ બળવો કર્યો, પણ એનાથી રાજ્ય સરકાર તૂટી પડવાનું સંકટ કઈ રીતે તોળાય અને જો નવી સરકાર બનાવવી હોય તો કઈ રીતે જોડાણ કરવું તે બે દિવસમાં સ્પષ્ટ થશે

શિવસેના પાર્ટી લોગો

શિવસેના પાર્ટી લોગો



એકનાથ શિંદેએ બળવો કર્યો, પણ એનાથી રાજ્ય સરકાર તૂટી પડવાનું સંકટ કઈ રીતે તોળાય અને જો નવી સરકાર બનાવવી હોય તો કઈ રીતે જોડાણ કરવું પડે અને આંકડાકીય સમીકરણો કઈ રીતે ગોઠવાવાં જોઈએ એની શક્યતાઓ કયા મુજબની હોવી જોઈએ અને એમાં કોણ કેટલે પહોંચે છે એ એકાદ-બે દિવસમાં સ્પષ્ટ થશે. 
જો શિવસેનાના ૨૫ વિધાનસભ્યો ફૂટે છે તો ૧૭૦ વિધાનસભ્યોમાંથી ૨૫ ઓછા થયા. આમ ૧૪૫ વિધાનસભ્યો મહાવિકાસ આઘાડી સરકાર સાથે છે એ ફલિત થાય. એથી આ પરિસ્થિતિમાં સરકારને આંચ આવે નહીં, પણ જો ૩૦ વિધાનસભ્યો ફૂટે તો ટેકો ૧૪૦નો થાય અને વિધાનસભામાં બહુમત માટેનો ​મૅજિક ફિગર ૧૪૪ છે. 
એથી જો મહાવિકાસ આઘાડીની સરકાર તૂટી પડશે તો શું થશે? બીજેપી અવિશ્વાસનો પ્રસ્તાવ લાવશે અને એ વખતે રાજ્યપાલની ભૂમિકા મહત્ત્વની રહેશે. એ જ પ્રમાણે ગૃહમાં સ્પીકરની ભૂમિકા બહુ જ મહત્ત્વની રહેશે, કારણ કે વિધાનસભામાં બહુમત સિદ્ધ કરવાનો રહેશે. 


Whatsapp-channel Whatsapp-channel

22 June, 2022 09:07 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK