શિવસેનાએ પોતાના મુખપત્ર `સામના`માં છપાયેલા સંપાદકીયમાં કહ્યું કે રાજ્ય સરકાર કોવિડ-19ની ત્રીજી લહેરથી લડવાની તૈયારી કરી રહી છે, જેમાં બાળકોને સર્વાધિક પ્રભાવિત થવાની શંકા છે.
ઉદ્ધવ ઠાકરે (ફાઇલ ફોટો)
શિવસેનાએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ઘવ ઠાકરેને રાજ્યના 12 કરોડ લોકો માટે ફેમિલી ડૉક્ટર જણાવતા કહ્યું કે `બધાનું ધ્યાન રાખનાર તેમના વ્યવહાર` અને પ્રયત્નોએ રાજ્યને કોવિડ-19 વૈશ્વિક મહામારીનું જોખમના સ્તર પાર કરવાથી ઉગારી લીધો.
શિવસેનાએ પોતાના મુખપત્ર સામનામાં છપાયેલા સંપાદકીયમાં કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ વૈશ્વિક મહામારીની બીજી લહેરથી લડવા માટે મહારાષ્ટ્રના પ્રયત્નોના વખાણ કર્યા છે. મુખ્યમંત્રીએ ડૉક્ટર્સની સાથે તાજેતરની વાતચીતમાં અપીલ કરી હતી, કે તે દર્દીઓમાં સંક્રમણની તપાસ કરીને સમયસર તેમની સારવાર કરવામાં મદદ કરે.
ADVERTISEMENT
સંપાદકીયમાં ઠાકરેને કોવિડોલૉજિસ્ટ જાહેર કરતા કહેવામાં આવ્યું છે કે કદાચ આ પહેલા એવા મુખ્યમંત્રી છે, જેમણે કોવિડ-19 સંકટનો વિસ્તારપૂર્વક અભ્યાસ કર્યો છે શિવસેનાએ કહ્યું, "મુખ્યમંત્રી ઠાકરેએ મહામારીનું વિસ્તારથી અધ્યયન કર્યું અને તે કેસની સંખ્યા ઘટાડવા માટે સખત મહેનત કરી રહ્યા છે. તે મહારાષ્ટ્રના 12 કરોડ લોકો માટે (એક રીતે) પરિવારના ડૉક્ટર જ બની ગયા છે."
તેમણે કહ્યું, "તેમણે મહારાષ્ટ્રને જોખમનો સ્તર પાર કરવાથી બચાવ્યો. એટલું જ નહીં, ઠાકરે લોકોના પરિવાર માટે ડૉક્ટર બનીને કોવિડ-19થી લડવામાં તેમનો સાહસમાં વધારો કર્યો છે. તેમની મદદ કરવી બધાનું કર્તવ્ય છે." પાર્ટીએ કહ્યું કે દેશના અન્ય રાજ્યોથી કોવિડ-19ને કારણે જીવ ગુમાવનારા લોકોના મૃતદેહોના ઢગલાં પણ મનને ખિન્ન કરનારી તસવીરો આંતરરાષ્ટ્રીય મીડિયામાં પણ પ્રકાશિત થઈ રહી છે.
શિવસેના કહ્યું, "મહારાષ્ટ્રમાંથી આ પ્રકારની કોઇ જ તસવીર સામે આવી નથી. આથી જો મુખ્યમંત્રી ઠાકરેને નહીં, તો પછી કોને શ્રેય આપવો જોઇએ?" તેણે કહ્યું કે રાજ્ય સરકાર કોવિડ-19ની ત્રીજી લહેરથી લડવાની તૈયારી કરી રહી છે, જેથી બાળકોના સૌથી વધારે પ્રભાવિત થવાની શક્યતા છે.