Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > વસઈમાં ડૂબી જવાથી બે બાળકોનાં મોત

વસઈમાં ડૂબી જવાથી બે બાળકોનાં મોત

Published : 16 June, 2024 08:02 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વધુ ત્રણ બાળકો ડૂબી ગયાં હોવાનું લોકોનું અનુમાન હોવાથી વસઈ-વિરાર ફાયર-બ્રિગેડ અન્ય બાળકોની શોધ કરી રહી હતી.

આ સ્થળે બાળકો ડૂબી ગયાં હતાં.

આ સ્થળે બાળકો ડૂબી ગયાં હતાં.


વસઈમાં ઊંડા ખાડાના પાણીમાં તરવા ગયેલાં બે બાળકોનાં ડૂબી જવાથી મોત થયાં હતાં. આ અકસ્માત ગઈ કાલે બપોરે બન્યો હતો. એમાં વધુ ત્રણ બાળકો ડૂબી ગયાં હોવાની શક્યતા હોવાથી ફાયર-બ્રિગેડ તેમને મોડે સુધી શોધી રહી હતી. વસઈ-ઈસ્ટમાં આવેલી ફાધરવાડીમાં વરસાદનું પાણી જમા થઈ ગયું હતું. વિરાર-અલીબાગ કૉરિડોર માટે માટી કાઢવામાં આવી ત્યારે આ ઊંડો ખાડો થયો હતો. ગઈ કાલે આ વિસ્તારનાં કેટલાંક બાળકો આ પાણીમાં તરવા ગયાં હતાં, પરંતુ કેટલાંક બાળકો ડૂબી ગયાં હોવાની માહિતી સ્થાનિક લોકોને મળી હતી. તેમણે ૧૧ વર્ષના અમિત શર્મા અને ૧૩ વર્ષના અભિષેક શર્માના મૃતદેહ બહાર કાઢ્યા હતા. વધુ ત્રણ બાળકો ડૂબી ગયાં હોવાનું લોકોનું અનુમાન હોવાથી વસઈ-વિરાર ફાયર-બ્રિગેડ અન્ય બાળકોની શોધ કરી રહી હતી.


Whatsapp-channel Whatsapp-channel

16 June, 2024 08:02 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK