Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ચોમાસામાં મુંબઈને જળબંબાકાર થતું અટકાવવા ૧૯૦ કરોડનો ખર્ચ

ચોમાસામાં મુંબઈને જળબંબાકાર થતું અટકાવવા ૧૯૦ કરોડનો ખર્ચ

09 February, 2021 12:20 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ચોમાસામાં મુંબઈને જળબંબાકાર થતું અટકાવવા ૧૯૦ કરોડનો ખર્ચ

ફાઈલ તસવીર

ફાઈલ તસવીર


ચોમાસામાં દર વર્ષે સામાન્યથી થોડો વધુ વરસાદ પડે ત્યારે મુંબઈ જળબંબાકાર થાય છે. આને લીધે મુંબઈકરોએ ઘણું સહન કરવું પડે છે. આ સમસ્યા માટે પાલિકાની આકરી ટીકા થાય છે. આ બાબતને ધ્યાનમાં રાખીને આ વર્ષે ચોમાસા પહેલાં પાલિકાએ પાણી પહેલાં પાળ બાંધવાનો નિર્ણય લીધો છે. વરસાદનું પાણી ભરાવાની જ્યાં સૌથી વધુ સમસ્યા થાય છે એવા ૫૮ સ્પૉટ પર ૧૯૦ કરોડ રૂપિયાના ખર્ચે પાણીનો ઝડપથી નિકાલ થાય એ માટેની યોજના બનાવી છે. પાલિકાની સ્ટૅન્ડિંગ કમિટીએ ગઈ કાલે આ કામ માટેની મંજૂરી આપી હતી.

વરસાદનાં પાણીના ઝડપી નિકાલ માટેની યોજનામાં પાણી ઝડપથી વહી શકે એ માટે નાળાં બાંધવાં, જે નાળાં છે એની ક્ષમતા વધારવી, અત્યારની પમ્પિંગ કૅપેસિટીમાં વધારે કરવો, વરસાદનો અહેવાલ, ભરતી-ઓટની માહિતી વગેરેનો અભ્યાસ કરવામાં આવશે. અભ્યાસ બાદ તાત્કાલિક રીતે એના પર અમલ કરાશે.



પાલિકાએ જે ૫૮ કામને મંજૂરી આપી છે એમાં માટુંગાની ગાંધી માર્કેટ, સાંતાક્રુઝના જે. કે. મહેતા માર્ગ, અંધેરીમાં આકૃતિ સેન્ટર અને કાર્ગો કૉમ્પ્લેક્સ, ચેમ્બુરના પી. એલ. લોખંડે માર્ગ, દેવનારના ગૌતમનગર, બોરીવલીના ચંદાવરકર રોડ, ગોરેગામના મહેશનગર સહિતનાં સ્થળોએ વરસાદનાં પાણી ભરાવાની સમસ્યાનો ઉકેલ લાવવાનો નિર્ણય લીધો છે.


Whatsapp-channel Whatsapp-channel

09 February, 2021 12:20 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK