સુધરાઈએ આપી માહિતી
પ્રતીકાત્મક તસવીર
મુંબઈના ઘાટકોપર ખાતે એક ચાલની દીવાલ ગુરુવારે મધરાતે પડી જતાં ત્રણ વ્યક્તિને નાની ઈજા થઈ હોવાનું સુધરાઈએ જણાવ્યું હતું.
સુધરાઈના જણાવ્યા અનુસાર મુંબઈમાં છેલ્લા ૨૪ કલાકમાં દીવાલ અને ઘર પડવાની ૧૧ ઘટનાઓ બની હતી. ગઈ કાલે રાતે મુલુંડ ખાતે દીવાલ ધસી પડતાં એક વ્યક્તિનું મોત થયું હતું.