Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મહારાષ્ટ્રમાં કોરોના વાઇરસના ત્રીજા વેવ અંગે સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ કહ્યું આમ...

મહારાષ્ટ્રમાં કોરોના વાઇરસના ત્રીજા વેવ અંગે સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ કહ્યું આમ...

24 November, 2021 05:55 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

એક્સપર્ટ્સનું કહેવું છે કે, પ્રથમ વેવ સપ્ટેમ્બર 2020માં આવ્યું, બીજું વેવ એપ્રિલ 2021માં આવ્યું હતું. હવે ત્રીજું વેવ ડિસેમ્બરમાં આવવાના એંધાણ છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મહારાષ્ટ્રમાં (Maharahstra) કોરોનાની ત્રીજી લહેર (Corona)  (Third wave) ડિસેમ્બરમાં આવી શકે છે, પરંતુ તેની અસર આકરી નહીં હોય. આવી સ્થિતિમાં લોકોને સાવચેત રહેવા માટે કહેવામાં આવ્યું છે. સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ (Health Minister) (Rajesh Tope)કહ્યું છે કે, કોવિડ-19ની ત્રીજી લહેર ડિસેમ્બરમાં મહારાષ્ટ્રમાં આવે તેવી વકી છે પણ તે ભારે નહીં હોય. તેમણે કહ્યું કે રાજ્યમાં રસીકરણનો (Vaccination)દર ઊંચો છે અને તેથી આ લહેર ભારે નહીં પડે તેમ માની શકાય. એક્સપર્ટ્સનું કહેવું છે કે, પ્રથમ વેવ સપ્ટેમ્બર 2020માં આવ્યું, બીજું વેવ એપ્રિલ 2021માં આવ્યું હતું. હવે ત્રીજું વેવ ડિસેમ્બરમાં આવવાના એંધાણ છે. 

આરોગ્ય મંત્રીએ કહ્યું કે, મહારાષ્ટ્રમાં 80 ટકાથી વધુ લોકોનું વેક્સિનેશન થયું છે. કોવિડ-19ના ફેલાવાને રોકવામાં રસીકરણે મુખ્ય ભૂમિકા ભજવી છે. અહીં ચેપ પહેલા કરતા ઓછો છે અને મૃત્યુ દર લગભગ ઝીરો નજીક છે. તેમણે કહ્યું કે, વિદ્યાર્થીઓ અને બાળકોમાં ઘણી બધી રોગપ્રતિકારક શક્તિનો વિકાસ થાય છે. જોકે ત્રીજી લહેર ડિસેમ્બરમાં અપેક્ષિત છે, જે રસીકરણ કરવામાં આવ્યું છે. તે ખાતરી કરશે કે ચેપ ખૂબ જ હળવો હશે અને ICU અને ઓક્સિજનની જરૂરિયાત ઓછી હશે. તેમણે કહ્યું કે, મહારાષ્ટ્રમાં 2.12 ટકા સાથે દેશમાં સૌથી વધુ મૃત્યુદર છે. રાજ્યમાં હાલમાં 9,678 સક્રિય કેસ છે પરંતુ દરરોજ નવા કેસોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ટોપેએ એમ પણ કહ્યું કે, રાજ્યમાં રસીની કોઈ અછત નથી. અમારી પાસે રસીનો પુરતો ડોઝ છે. અમારી પાસે હાલમાં 1.77 કરોડ રસી ઉપલબ્ધ છે. કોવિશિલ્ડ સ્ટોક 1.13 કરોડ અને કોવેક્સિન 64 લાખ છે.

કોરોનાના કેસોને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્ર સરકારે ઘણા પગલાં લીધા છે. રોગચાળા સામે લડવા માટે રાજ્ય સરકારની તૈયારી પૂર્ણ થઈ ગઈ છે. આરોગ્ય વિભાગના એક અધિકારીના જણાવ્યા અનુસાર, રાજ્ય સરકારે કોરોનાને હરાવવા માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચરને દોઢ ગણું અપગ્રેડ કર્યું છે.  આ વર્ષે કોરોનાની બીજી લહેર દરમિયાન મહારાષ્ટ્રમાં મોટી સંખ્યામાં લોકો આ મહામારીની ઝપેટમાં આવ્યા હતા. 

BMCના એડિશનલ મ્યુનિસિપલ કમિશનર સુરેશ કાકાણીએ કહ્યું હતું કે, સંભવિત ત્રીજા લહેર માટે 30,000 બેડ તૈયાર રાખવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું હતું કે ચેમ્બુર અને મહાલક્ષ્મીમાં પણ ઓક્સિજન રિફિલિંગ પ્લાન્ટ્સ સ્થાપવામાં આવશે, જેથી શહેરમાં આવશ્યક જીવન રક્ષક ગેસની કોઈ અછત ન રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

થોડા દિવસો પહેલા, નિષ્ણાતોએ કહ્યું હતું કે, જો કોવિડ -19ની ત્રીજી લહેર મહારાષ્ટ્રમાં આવે છે, તો 60 લાખ સુધી કેસ આવી શકે છે. મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) એ જણાવ્યું હતું કે, તે શહેરના સ્વાસ્થ્ય માળખાને તૈયાર રાખવા માટે તમામ જરૂરી તૈયારીઓ કરી રહી છે. ખાસ કરીને BMCએ બેડ્ઝ અને ઑક્સિજન સિલિન્ડર મળી રહે તેની પુરી તાકીદ કરી છે. 


Whatsapp-channel Whatsapp-channel

24 November, 2021 05:55 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK