Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > વરસાદ તો ગયો, પણ રસ્તા પર ભરાયેલાં પાણી ક્યારે ઓસરશે?

વરસાદ તો ગયો, પણ રસ્તા પર ભરાયેલાં પાણી ક્યારે ઓસરશે?

20 June, 2021 02:45 PM IST | Mumbai
Priti Khuman Thakur | priti.khuman@mid-day.com

વિરારમાં ગુરુવારે પડેલા વરસાદ બાદ નીચાણવાળા વિસ્તારોમાં ભરાયેલાં પાણી દૂર થવાનું નામ નથી લેતાં

વિરારની સ્કૂલની બહારનો રસ્તો વરસાદ ન હોવા છતાં પાણીથી ભરાયેલો હતો.  પ્રીતિ ખુમાણ ઠાકુર

વિરારની સ્કૂલની બહારનો રસ્તો વરસાદ ન હોવા છતાં પાણીથી ભરાયેલો હતો. પ્રીતિ ખુમાણ ઠાકુર


વિરારમાં છેલ્લા બે દિવસથી મેઘરાજાએ વિરામ લીધો હોવા છતાં વિરારવાસીઓને તેમની સમસ્યામાંથી વિરામ મળ્યો હોય એવું લાગતું નથી. વિરારના અમુક નીચાણવાળા વિસ્તારોમાં રસ્તા પરથી પાણી દૂર થવાનું નામ નથી લઈ રહ્યું. રસ્તા પર ભરાયેલાં પાણીને કારણે રોગચાળો ફેલાય એવી લોકોને ચિંતા સતાવી રહી છે. વિરાર-વેસ્ટમાં આવેલી સેન્ટ ઝેવિયર્સ સ્કૂલની બહારનો રસ્તો પાણીથી ભરાયેલો હતો. પમ્પ દ્વારા પાણી ઉલેચવામાં આવી રહ્યાં હોવા છતાં ગઈ કાલ સુધી પાણી ભરાયેલાં રહ્યાં હતાં. 


Whatsapp-channel Whatsapp-channel

20 June, 2021 02:45 PM IST | Mumbai | Priti Khuman Thakur

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK