આ નવી દવા પીએચઈએસજીઓના ઉપયોગથી સારવારનો ખર્ચ પણ લગભગ ૨૦ ટકા જેટલો ઘટશે એમ કંપનીના અધિકારીએ જણાવ્યું હતું. આ દવાનો ઉપયોગ કરવાથી પેશન્ટોએ ક્લિનિકમાં વિતાવવાનો સમય ઓછો થશે.
પ્રતીકાત્મક તસવીર
બ્રેસ્ટ-કૅન્સરના પેશન્ટો અને તેમના પરિવારજનો માટે ટ્રીટમેન્ટના સમયગાળામાં ૯૦ ટકા જેટલો ઘટાડો થાય એવા રાહતના સમાચાર છે. મલ્ટિનૅશનલ ડ્રગ ઉત્પાદક કંપની રોશ ફાર્માએ એક જ ઇન્જેક્શન દ્વારા આપી શકાય એવી રીતે બે મોનોક્લોનલ ઍન્ટિ-બૉડીઝને સંયુક્ત કરી છે. પરજેટા (પેર્ટુઝુમાબ) અને હેરસેપ્ટિન (ટ્રાસ્ટુઝુમાબ)નું હાયલ્યુરોનિડેઝ સાથે સંયોજન કરીને તૈયાર કરવામાં આવેલી આ નવી દવા પીએચઈએસજીઓના ઉપયોગથી સારવારનો ખર્ચ પણ લગભગ ૨૦ ટકા જેટલો ઘટશે એમ કંપનીના અધિકારીએ જણાવ્યું હતું. આ દવાનો ઉપયોગ કરવાથી પેશન્ટોએ ક્લિનિકમાં વિતાવવાનો સમય ઓછો થશે.
પીએચઈએસજીઓ દવાને સૌપ્રથમ જૂન ૨૦૨૦માં કોવિડ-૧૯ મહામારીનું સંક્રમણ એની ચમરસીમાએ હતું ત્યારે યુએસ ડ્રગ કન્ટ્રોલર દ્વારા માન્યતા આપવામાં આવી હતી. ભારતમાં ઑક્ટોબર ૨૦૨૧માં ડ્રગ રેગ્યુલેટર દ્વારા આ દવાને માન્યતા આપવામાં આવી હતી તથા જાન્યુઆરી ૨૦૨૨માં એના ઇમ્પોર્ટ લાઇસન્સને મંજૂરી આપવામાં આવી હતી.