Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > જામીન પરથી નાસી છૂટેલો ગુનેગાર ૩૫ વર્ષ બાદ ઝડપાયો

જામીન પરથી નાસી છૂટેલો ગુનેગાર ૩૫ વર્ષ બાદ ઝડપાયો

28 July, 2021 01:53 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આરોપીને સોમવારે અદાલત સમક્ષ હાજર કરાયો હતો, જ્યાં તેને જુડિશ્યલ કસ્ટડીમાં મોકલી દેવાયો હતો.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


૧૯૮૬માં એક મર્ડરકેસમાં જામીનમાંથી નાસી છૂટેલા એક વૉન્ટેડ ગુનેગારને ટ્રૉમ્બે પોલીસે ૩૫ વર્ષ બાદ દક્ષિણ મુંબઈની ઝૂંપડપટ્ટીમાંથી ઝડપી લીધો હતો. આરોપી પ્રકાશ મુરારીલાલ રતન ઉર્ફે પક્યા (૫૯ વર્ષ) હવે ફૂલહાર વેચીને આજીવિકા રળે છે. તે કફ પરેડની ઝૂંપડપટ્ટીમાં છેલ્લાં ૨૦ વર્ષથી ઓળખ બદલીને તેના પુત્ર સાથે રહેતો હતો.
પક્યાએ જૂની અદાવતને પગલે ૧૯૮૪માં માનખુર્દ-શિવાજીનગર વિસ્તારમાં એક ગુંડાની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરી હતી. તેની ધરપકડ થઈ હતી, પણ ૧૯૮૬માં તે જામીન પર છૂટી ગયો હતો. જોકે તે કદી અદાલત સમક્ષ સુનાવણી માટે હાજર થયો નહીં, જેને પગલે તેની સામે બિનજામીનપાત્ર વૉરન્ટ જારી થયું હતું. આરોપીને સોમવારે અદાલત સમક્ષ હાજર કરાયો હતો, જ્યાં તેને જુડિશ્યલ કસ્ટડીમાં મોકલી દેવાયો હતો.


Whatsapp-channel Whatsapp-channel

28 July, 2021 01:53 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK