દંપતીને પાંચ અને છ વર્ષના બે પુત્ર છે. તેની પત્ની ઘરકામ કરતી હતી. આ મામલે પોલીસે આકસ્મિક મોતનો કેસ દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
પ્રતીકાત્મક તસવીર
મુંબઈ : (પી.ટી.આઇ.) ઉલ્હાસનગરમાં ૩૦ વર્ષનો યુવક અને તેની પત્ની ઘરની છત પર લટકતી હાલતમાં મળી આવ્યાં હતાં. પ્રથમદર્શી રીતે આ આત્મહત્યાનો કેસ લાગે છે, કારણ કે મૃતકને કોરોના મહામારીને કારણે વ્યવસાયમાં ખોટ ગઈ હતી એમ ઉલ્હાસનગર પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું.
સચિન સુથાર અને તેની પત્ની શર્વરી ના મૃતદેહ શહદ ફાટક વિસ્તારમાં આવેલા તેમના ઘરમાં શનિવારે રાતે લટકતી હાલતમાં મળી આવ્યા હતા. દંપતીને પાંચ અને છ વર્ષના બે પુત્ર છે. તેની પત્ની ઘરકામ કરતી હતી. આ મામલે પોલીસે આકસ્મિક મોતનો કેસ દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.