જીએસટી કાઉન્સિલે પહેલાં માત્ર ૦.૨૫ ટકા જ જીએસટી લેવાતો હતો એ વધારીને ૧.૫ ટકા કર્યો હોવાથી હવે વધુ પૈસા ચૂકવવા પડશે અને એની ડોમેસ્ટિક માર્કેટ પર નેગેટિવ અસર પડશે પણ નિકાસકારોને ફાયદો થશ
ડાયમન્ડ બજારમાં કહીં ખુશી કહીં ગમ
ADVERTISEMENT
માર્કેટના અન્ય એક વેપારી દિલીપ શાહે કહ્યું હતું કે ‘થોડુંક રીઍક્શન તો આવશે જ. એક્સપોર્ટરોનું એવું હતું કે ઘણી વાર તો એ ૦.૨૫ ટકાનો ક્લેમ કરાતો જ નહોતો, પણ હવે એ ક્લેમ કરાશે. ઘણી એવી કંપનીઓ છે જેમણે એમના ટર્નઓવર પ્રમાણે કાં તો મહિને-મહિને અથવા ત્રણ મહિને જીએસટી ભરવો જ પડે. એથી હવે જીએસટી ભરાશે અને રીફન્ડ કે ઇનપુટ ક્રેડિટ માટે ક્લેમ પણ કરાશે. બીજું, ડોમેસ્ટિકમાં જે એન્ડ-યુઝર છે તેમણે તો એ જીએસટીના પૈસા ચૂકવવાના જ છે. બધો ભાર આખરે તો કન્યાની કેડ પર જ આવવાનો છે. તેઓ થોડો વખત ખચકાશે, પણ આખરે તો એ ચૂકવવાના જ છે એ મન મનાવીને ખરીદી તો કરશે જ.’
ખરેખર જે ઇફેક્ટ પડવાની છે એ ડોમેસ્ટિક માર્કેટમાં પડશે. ડોમેસ્ટિક માર્કેટમાં લૂઝ હીરા કે પછી હીરાજડિત જ્વેલરી માટે હવે ગ્રાહકોએ વધુ પૈસા ચૂકવવા પડશે. - અમિત શાહ, ભારત ડાયમન્ડ બુર્સના ભૂતપૂર્વ કમિટી મેમ્બર
ડાયમન્ડના એક્સપોર્ટર ખુશખુશાલ -રોહિત પરીખ
જીએસટી કાઉન્સિલે જીએસટીના દરોમાં ફેરફાર કરવાથી દેશભરની વેપારી આલમમાં જબરદસ્ત નારાજગી ફેલાયેલી છે એવા સમયે હીરાબજારમાં ખુશાલીનો માહોલ જોવા મળ્યો છે. ભારતની જેમ્સ ઍન્ડ જ્વેલરીના વેપારીઓની સર્વોચ્ચ સંસ્થા જેમ્સ ઍન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલે સરકાર પાસે કટ અને પૉલિશ્ડ હીરા પર જીએસટી વધારીને ૧.૫ ટકા કરવાની અને ગ્રેડિંગ અને સર્ટિફિકેશન પર ૧૮ ટકા જીએસટીમાંથી ૧.૫ ટકા કરવાની માગણી કરી હતી જેથી તેમને ઇનપુટ ટૅક્સ ક્રેડિટ લેવામાં સરળતા પડે. જીએસટી કાઉન્સિલે આ માગણી મુજબ હીરાના જીએસટીના દરોને ૧.૫ ટકા તર્કસંગત કરવાથી હીરાબજારના વેપારીઓમાં ખુશાલી વ્યાપી છે. અમે સરકારના આ નિર્ણયને આવકારીએ છીએ એમ જણાવતાં જીજેઈપીસીના ચૅરમૅન કોલીન શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કટ અને પૉલિશ્ડ હીરા પર જીએસટીનો દર ૦.૨૫ ટકામાંથી ૧.૫ ટકા તર્કસંગત બનાવવા માટે અમે નાણાપ્રધાનના આભારી છીએ. એક એવો અંદાજ છે કે અત્યારે ઇનપુટ ટૅક્સ ક્રેડિટમાં ૬૦૦ કરોડ રૂપિયા અટકાયેલા છે. નવા દરોથી હવે વધુ મૂડી રોકાશે નહીં અને અવરોધિત કાર્યકારી મૂડી મુક્ત થતાં હીરાઉદ્યોગના વિકાસને ઉત્તેજન મળશે. હવે અમે સરકારને વિનંતી કરીશું કે વેપારીઓના સંચિત જીએસટીનું રીફન્ડ મળે એ માટે એક પદ્ધતિ ઔપચારિક બનાવે.’