આજથી શિવસૈનિકો આક્રમક થઈ શકે છે એને ધ્યાનમાં રાખીને રાજ્યભરના તમામ પોલીસ સ્ટેશનને અલર્ટ રહેવાનો આદેશ આપવામાં આવ્યો હોવાનું કહેવાય છે.
શિવસૈનિકોનું બળવો કરનારા વિધાનસભ્યો સામે વિરોધ-પ્રદર્શન
બળવો કરનારા વિધાનસભ્યો પાછા નહીં ફરે તો રસ્તામાં ઊતરીશું એવી ચીમકી સંજય રાઉતે આપ્યા બાદ ગઈ કાલે કેટલાક શિવસૈનિકોએ બળવો કરનારા વિધાનસભ્ય મંગેશ કુડાળકર અને દિલીપ લોંડેની ઑફિસની બહાર પહોંચીને વિરોધ-પ્રદર્શન કરવાની સાથે બૅનરો ફાડ્યાં હતાં. કુર્લાના નેહરુનગરમાં ગઈ કાલે પહોંચેલા કેટલાક શિવસૈનિકોએ વિધાનસભ્યનું નામ લખેલાં બૅનરો ફાડવાની સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. આજથી શિવસૈનિકો આક્રમક થઈ શકે છે એને ધ્યાનમાં રાખીને રાજ્યભરના તમામ પોલીસ સ્ટેશનને અલર્ટ રહેવાનો આદેશ આપવામાં આવ્યો હોવાનું કહેવાય છે.