Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > શરદ પવારે ઇલેક્શન કમિશનને પત્ર લખીને પક્ષના ચૂંટણીચિહ્ન બાબતે નિર્ણય લેવાનું કહ્યું

શરદ પવારે ઇલેક્શન કમિશનને પત્ર લખીને પક્ષના ચૂંટણીચિહ્ન બાબતે નિર્ણય લેવાનું કહ્યું

Published : 25 June, 2024 11:20 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ બાબતે વહેલી તકે નિર્ણય નહીં લેવામાં આવે તો અમે સુપ્રીમ કોર્ટમાં જઈશું

શરદ પવાર

શરદ પવાર


નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP-શરદચંદ્ર પવાર)ના અધ્યક્ષ શરદ પવારે ઇલેક્શન કમિશનને પક્ષને ફાળવવામાં આવેલા ચૂંટણીચિહ્ન તુતારી બાબતે વહેલી તકે નિર્ણય લેવામાં નહીં આવે તો સુપ્રીમ કોર્ટમાં જવાની ચીમકી આપતો પત્ર લખ્યો હોવાનું જાણવા મળ્યું હતું. શરદ પવારે પત્રમાં લખ્યું હતું કે ‘તુતારીને ચૂંટણીના ચિહ્નની યાદીમાંથી કાઢી નાખો. લોકસભાની ચૂંટણીમાં ઇલેક્શન 
કમિશને અનેક અપક્ષ ઉમેદવારોને તુતારી ચિહ‍્ન આપવાને લીધે અમને નુકસાન થયું છે. આથી આ બાબતે વહેલી તકે નિર્ણય નહીં લેવામાં આવે તો અમે સુપ્રીમ કોર્ટમાં જઈશું.’


શરદ પવાર જૂથના નેતાઓએ દાવો કર્યો છે કે તેમના પક્ષે લોકસભાની ચૂંટણી તુતારી વગાડતો માણસ ચિહ્ન પર લડી હતી. જોકે ઇલેક્શન કમિશને કેટલાક અપક્ષ ઉમેદવારોને તુતારી ચિહ્ન ફાળવ્યાં હતાં, જેને લીધે નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP-શરદચંદ્ર પવાર)ના ઉમેદવારોને મોટું નુકસાન થયું હતું. સાતારા લોકસભાની બેઠકમાં મતદારો તુતારી વગાડતો માણસ અને તુતારી ચિહ્નનો ફરક સમજી નહોતા શક્યા એટલે પરાજય થયો હતો. 


Whatsapp-channel Whatsapp-channel

25 June, 2024 11:20 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK