સિંહ પર આરોપ છે કે તેણે 26/11ના આતંકી હુમલાના માસ્ટરમાઈન્ડ કસાબનો મોબાઈલ ફોન ગાયબ કરવામાં મદદ કરી હતી.
પરમબીર સિંહ
મુંબઈ(Mumbai)ના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ (Parambir singh)કેસમાં એક નવો ખુલાસો થયો છે. સિંહ પર આરોપ છે કે તેણે 26/11ના આતંકી હુમલાના માસ્ટરમાઈન્ડ કસાબનો મોબાઈલ ફોન ગાયબ કરવામાં મદદ કરી હતી. આ આરોપ મુંબઈ પોલીસના રિટાયર્ડ SP શમશેર ખાન પઠાણે લગાવ્યો છે.
શમશેર ખાન પઠાણે આ મામલામાં 26 સપ્ટેમ્બર 2021ના રોજ મુંબઈના સીપીને પત્ર લખ્યો હતો, જેમાં તેણે તેની તપાસ કરાવવાની માંગ કરી હતી. નિવૃત્ત એસીપીએ આરોપ લગાવ્યો છે કે જ્યાં કસાબને પકડવામાં આવ્યો હતો ત્યાં પરમબીર સિંહ પણ આવ્યા હતા. પછી પરમબીર સિંહે ફોન પોતાની પાસે રાખ્યો જ્યારે તેણે તપાસ અધિકારી રમેશ મહાલેને આપવો જોઈતો હતો.
ADVERTISEMENT
અગાઉ સુધી એવી માહિતી હતી કે પરમબીર સિંહ તપાસથી બચવા દેશ છોડીને ભાગી ગયો છે, પરંતુ તે ભારતમાં હોવાનું જાણવા મળે છે. પરમબીર સિંહની અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટમાં તેમના વકીલે કહ્યું કે તેઓ છુપાયા છે કારણ કે મુંબઈ પોલીસ તરફથી તેમના જીવને ખતરો છે. તેણે કહ્યું કે તે 48 કલાકની અંદર સીબીઆઈ અથવા કોર્ટમાં હાજર થવા તૈયાર છે. જણાવી દઈએ કે મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ પર 100 કરોડ રૂપિયાની ગેરકાયદે વસૂલાતનો આરોપ લગાવીને પરમબીર સિંહ ફરાર છે.
આ મામલે સુપ્રીમ કોર્ટે સીબીઆઈ અને મહારાષ્ટ્રના ડીજીપીને પણ નોટિસ પાઠવી છે. આ અંતર્ગત પરમબીર સિંહ વિરૂદ્ધ કાર્યવાહી હાલ પુરતી અટકાવી દેવામાં આવી છે. કોર્ટ હવે આ મામલે આગામી સુનાવણી 6 ડિસેમ્બરે કરશે. અગાઉ તેમના વકીલે બોમ્બે હાઈકોર્ટના આદેશ પર સવાલ ઉઠાવ્યા હતા, જેમાં તેમને સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ (CAT)નો સંપર્ક કરવાનો નિર્દેશ આપ્યો હતો. 18 નવેમ્બરના રોજ સર્વોચ્ચ અદાલતે સિંહની સુરક્ષાની માગણી કરતી અરજી પર ધ્યાન આપવાનો ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે જ્યાં સુધી તે તેના ઠેકાણાનો ખુલાસો નહીં કરે ત્યાં સુધી તે સાંભળશે નહીં કે રાહત આપશે નહીં. મુંબઈની એક અદાલતે 17 નવેમ્બરે તેને ભાગેડુ જાહેર કરવાની મુંબઈ પોલીસની અરજી સ્વીકારી હતી.
પરમબીર સિંહના વકીલે સુપ્રીમ કોર્ટમાં દાવો કર્યો હતો કે તેમને મુંબઈમાં ખતરો છે. સિંહના વકીલના આ દાવા પર મહારાષ્ટ્રના ગૃહમંત્રી દિલીપ વાલ્સેએ આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું છે કે તેઓ એ જાણીને ચોંકી ગયા છે કે વ્યક્તિ (ભૂતપૂર્વ CP પરમબીર સિંહ કે જેમણે મુંબઈ અને થાણેના પોલીસ કમિશનર તરીકે સેવા આપી હતી) જેઓ મહત્વપૂર્ણ હોદ્દા પર હતા, તેઓ તેમના જીવન માટે જોખમ અનુભવે છે.