Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > Mumbai: વિરોધને પગલે KEM હોસ્પિટલ સહિતના ડૉક્ટરો નહીં આપે OPD સર્વિસ, જાણો સમગ્ર મામલો

Mumbai: વિરોધને પગલે KEM હોસ્પિટલ સહિતના ડૉક્ટરો નહીં આપે OPD સર્વિસ, જાણો સમગ્ર મામલો

30 December, 2021 04:52 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

NEET-PG કાઉન્સેલિંગમાં વિલંબ સામે વિરોધ ચાલી રહ્યો છે. જેમાં હવે મુંબઈના ડૉક્ટરો પણ જોડાઈ રહ્યાં છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


NEET-PG કાઉન્સેલિંગમાં વિલંબ સામે વિરોધ ચાલી રહ્યો છે. જેમાં હવે મુંબઈના ડૉક્ટરો પણ જોડાઈ રહ્યાં છે. મુંબઈ (Mumbai)ની ત્રણ હોસ્પિટલોના નિવાસી ડૉક્ટરોએ જાહેરાત કરી છે કે તેઓ ગુરુવારથી શરૂ થતી OPD સેવાઓ પૂરી પાડવાનું બંધ કરશે.

કેઈએમ (King Edward Memorial Hospital),સાયન (Sion Hospital)અને જેજે(Sir Jamshedjee Jeejeebhoy Group of Hospitals)હોસ્પિટલના નિવાસી ડૉકટરોએ જાહેરાત કરી કે તેઓ NEET-PG કાઉન્સેલિંગમાં વિલંબ સામે વિરોધને સમર્થન આપતાં  બિન-ઇમરજન્સી સેવાઓ આપશે નહીં.  જો કે, તેઓ કોવિડ-19 વોર્ડમાં કામ કરવાનું ચાલુ રાખશે.



અહેવાલો અનુસાર હાલમાં સાયન હોસ્પિટલમાં લગભગ 600 રેસિડેન્ટ ડોક્ટર્સ અને 790 KEM હોસ્પિટલમાં કાર્યરત છે. આ દરમિયાન દિલ્હીમાં, 29 ડિસેમ્બરના રોજ ઘણી મોટી હોસ્પિટલોમાં દર્દીની સંભાળને અસર થઈ હતી કારણ કે નિવાસી ડૉકટરોએ તેમના આંદોલનને વધુ તીવ્ર બનાવ્યું હતું, તેમ છતાં રાષ્ટ્રીય રાજધાનીમાં વધુ રેસિડેન્ટ ડોકટર્સ એસોસિએશન (RDAs) ના સભ્યો જોડાયા હતા.


NEET-PG 2021 કાઉન્સિલિંગમાં વિલંબને લઈને વિરોધ કરી રહેલા દિલ્હીના રેસિડેન્ટ ડૉક્ટર્સ દ્વારા 29 ડિસેમ્બરે 13માં દિવસે હંગામો થયો.


Whatsapp-channel Whatsapp-channel

30 December, 2021 04:52 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK